Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુંવરજી બાવળિયા સામેની છેતરપિંડીની FIR હાઇકોર્ટે રદ કરી

Webdunia
ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (14:07 IST)
કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલા અને રાજ્યકક્ષાના પાણીપુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા સામે રાજકોટ જીલ્લામાં વર્ષ ૨૦૦૫માં નોંધાયેલી વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ હાઇકોર્ટે રદ કરી છે. કુંવરજી બાવળિયાની રજૂઆત હતી કે તે સમયે રાજકીય અણબનાવ અને ગેરમસજના કારણે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે બન્ને પક્ષો વચ્ચે સમાધાન થઇ ચૂક્યું હોવાથી આ ફરિયાદ રદ થવી જોઇએ. હાઇકોર્ટ આ રજૂઆત ગ્રાહ્ય રાખી બાવળિયા સામેની પોલીસ ફરિયાદ રદબાતલ ઠેરવી છે.
કુંવરજી બાવળિયાની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત છે કે વર્ષ ૧૯૯૪માં તેઓ રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના શ્રીગ્રામ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને વહીવટદાર હતા. આ વિસ્તારના નાગરિકોની સુખાકારી માટે તેમણે સરકારમાં ઘણીવાર જમીનનીમાગણી કરી હતી. જેથી તેમને જસદણ તાલુકાના અમરાપુર ગામમાં સરકાર તરફથી આ ટ્રસ્ટને જમીન ફાળવવામાં આવતી હતી. વર્ષ ૨૦૦૩માં કુંવરજી બાવળિયો આ ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું હતું. 
આ ફરિયાદ રદ કરવાની માગણી સાથે કુંવરજી બાવળિયાએ કરેલી રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે તે સમયે રાજકીય અણબનાવ અને ગેરસમજના કારણે પોલીસ ફરિયાદ નોઁધાવવામાં આવી હતી. હવે બન્ને પક્ષ વચ્ચે સમધાના થઇ ચૂક્યું હોવાથી આ પોલીસ ફરિયાદ રદ થવી જોઇએ. આ ઉપરાંત ેતમની સામે પ્રથમદર્શનીય રીતે કેસ બનતો નથી. ફરિયાદમાં તેમની સામે સ્પષ્ટ આરોપ કરવામાં આવ્યો હોય તેવું જણાઇ આવતું નથી તેમજ તેમની સામેના કોઇ પુરાવાઓ પણ તપાસ દરમિયાન મળ્યા નથી. હાઇકોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખી પોલીસ ફરિયાદ રદ કરી છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments