Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલનો આજે ગુજરાત પ્રવાસ, મહેસાણામાં 'તિરંગાયાત્રા'માં ભાગ લેશે

Webdunia
રવિવાર, 5 જૂન 2022 (11:29 IST)
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 15 મેના રોજ શરૂ થયેલી આમ આદમી પાર્ટીની ત્રણ સપ્તાહની 'પરિવર્તનયાત્રા' પૂરી થઈ રહી હોવાથી કેજરીવાલ અમદાવાદ આવી રહ્યા છે.
 
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રવિવારે ગુજરાતમાં રોડ શોમાં ભાગ લેશે અને મહેસાણામાં સભાને સંબોધિત કરશે.
 
આમ આદમી પાર્ટીના ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે કેજરીવાલ યાત્રા દરમિયાન જનતાને પણ સંબોધિત કરશે.
 
AAPનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના ગઢ ગણાતા મહેસાણામાં કેજરીવાલની આ પ્રથમ મુલાકાત હશે.
 
આગામી ડિસેમ્બર મહિનામાં યોજાઈ રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેજરીવાલ ગુજરાત પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના એક અધિકારીએ જણાવ્યું હતું કે મહેસાણામાં આ રોડ શો પાટીદાર, ચૌધરી અને ઠાકોર સમુદાયોને ટાર્ગેટ કરીને યોજાઈ રહ્યો છે..
 
2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ મહેસાણાની સાતમાંથી પાંચ બેઠક જીત્યો હતી, જ્યારે કૉંગ્રેસ બે બેઠક જીતી હતી.
 
પાછળથી, કૉંગ્રેસના બે ધારાસભ્યોમાંથી એક ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમનું અવસાન થયું હતું.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments