Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાશિવરાત્રીના મેળા બાદ આવતીકાલથી 5 દિવસ માટે રોપ વે રહેશે બંધ

Webdunia
શુક્રવાર, 5 માર્ચ 2021 (18:28 IST)
ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને શિવરાત્રી મેળો રદ્દ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્‍યો છે. જો કે સાધુ-સંતો દ્વારા ધાર્મિક પરંપરા નિભાવવામાં આવશે. 7 માર્ચે ભવનાથ મંદિર પર ધ્‍વજારોહણ બાદમાં શિવરાત્રીએ રવાડી, શાહી સ્‍નાન અને પૂજન-અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાધુ-સંતો દ્વારા યોજાશે. જેમાં ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે નહી. આ ઉપરાંત પ્રવાસીઓ રોપ વેમાં બેસવા આવે નહીં એટલા માટે વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
આવતીકાલથી જૂનાગઢમાં ગિરનાર રોપ વે પાંચ દિવસ માટે બંધ રહેશે. જૂનાગઢ મહાશિવરાત્રી મેળો મોકુફ રહ્યા બાદ ગિરનાર રોપ-વે આવતીકાલથી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આવતીકાલથી 11 માર્ચ સુધી ગીરનાર રોપ-વે યાત્રાળુઓ માટે બંધ રહેશે.
 
તો બીજી તરફ વડોદરા પાસે આવેલ પાવાગઢ ખાતે યાત્રાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે. જેને લઇને સીડી ન ચડી શકનારા દર્શનાર્થીઓ માટે રોપ વેની સગવડ કરવામાં આવી છે. જો કે મેઇન્ટેન્સના પગલે આગામી છ દિવસ રોપ વે બંધ રહેતા દર્શનાર્થીઓએ સીડી મારફતે દર્શન કરવા જવું પડશે. યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે સેવા 6 દિવસ બંધ રહેશે. મેન્ટેનન્સના કારણે 8 થી 13 માર્ચ સુધી રોપ વે બંધ રહેશે. ભક્તોએ પગપાળા પાવગઢ પર્વત ચઢવો પડશે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments