Webdunia - Bharat's app for daily news and videos

Install App

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે કરી 3 આરોપીઓની ધરપકડ

Webdunia
ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (17:57 IST)
ભાજપના વરિષ્ઠ નેતા જયંતી ભાનુશાળીની હત્યામાં પોલિસે ગુરુવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મનીષા ગોસ્વામીએ જયંતી ભાનુશાળીની હત્યા કરાવી હોવાની વાત બહાર આવી છે. જયંતી ભાનુશાળીની હત્યા કરનારો શાર્પ શૂટર સુરજીત ભાઉ હજુ પણ પોલિસની પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. પોલિસની તપાસમાં છબીલ પટેલના ફાર્મ હાઉસમાંથી 3 વ્યક્તિની ધરપકડ કરી હોવાની વાત બહાર આવી છે. 
જયંતી ભાનુશાળી અને મનીષા ગોસ્વામી વચ્ચે લાંબા સમયથી અનૈતિક સંબંધો હતા. મનીષા ગોસ્વામી મુળ વાપીની રહેવાસી છે અને બે બાળકોની માતા છે. તેના અને જયંતી ભાનુશાળી વચ્ચે પૈસાની લેતી દેતી વચ્ચે ઝઘડો થયો હતો અને આ કારણે મનીષા ગોસ્વામીએ પુણેની ગેંગને જયંતી ભાનુશાળીની હત્યા કરવાની સોપારી આપી હતી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જયંતી ભાનુશાળીની હત્યા માટે કરોડો રૂપિયાની સોપારી આપવામાં આવી હતી.સુરજીત ભાઉ મનીષાની અત્યંત નજીકનો વ્યક્તિ છે અને તે દક્ષિણ ગુજરાતમાં પંકાયેલો વ્યક્તિ છે. મનીષા ગોસ્વામી આ સમગ્ર હત્યા પ્રકરણનું કેન્દ્ર બિંદુ છે. 2018માં જયંતી ભાનુશાળીના ભત્રીજાને પણ મનીષા ગોસ્વામીએ ધમકી આપી હતી. મનીષા 3 જાન્યુઆરીના રોજ કચ્છમાં એક વ્યક્તિને મળી હતી અને તેને જણાવ્યું હતું કે, હું ભાનુશાળીને પતાવી દઈશ. 
જો કે મનીષા ગોસ્વામી હાલ ભૂગર્ભમાં છે કે પોલિસે તેને અટકમાં લીધી છે તેના અંગે હાલ કોઈ હકીકત જાણવા મળી નથી. મનીષા હત્યા થયાના પ્રથમ દિવસથી જ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.  આ ઉપરાંત છબીલ પટેલની પણ ભાનુશાળીની હત્યા કેસમાં સંડોવણી સામે આવી છે. પૈસાની લેતીદેતી અને અદાવતને કારણે ભાનુશાળીની હત્યા કરાઈ હોવાની પ્રબળ માહિતી બહાર આવી છે. ભાનુશાળીના પરિવારજનોએ પણ છબીલ પટેલ પર જ આરોપ લગાવી રહ્યા હતા.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments