Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Crime News: પુષ્પા ફિલ્મ જોઈને 3 સગીરે મળીને કરી એક વ્યક્તિની હત્યા, ધરપકડ

Webdunia
શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (20:44 IST)
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં એક વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો છે. ત્રણ સગીરોએ કથિત રીતે એક વ્યક્તિની હત્યા કરી હતી. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે આરોપીઓ પુષ્પા જેવી ગુના આધારિત ફિલ્મોથી પ્રભાવિત હતા અને ફિલ્મમાં હીરોની જેમ ગુનાની દુનિયામાં પ્રખ્યાત થવા માગતા હતા. હત્યાના આરોપીઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ હત્યા બાદ એક વીડિયો પણ બનાવ્યો હતો અને તેને ઈન્સ્ટાગ્રામ પર મૂકવા માંગતો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે જહાંગીરપુરી પોલીસને બાબુ જગજીવન રામ મેમોરિયલ હોસ્પિટલમાંથી માહિતી મળી હતી કે એક વ્યક્તિના પેટમાં ચપ્પુ વાગ્યુ હતુ અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતકનું નામ શિબુ (24) છે અને તે જહાંગીરપુરીનો રહેવાસી હતો.
 
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર પશ્ચિમ) ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજથી જાણવા મળ્યું છે કે મૃતક અને આરોપી વચ્ચે લડાઈ થઈ હતી. બાદમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેઓ પુષ્પા (Pushpa)અને ભૌકલ(Bhaukal) જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં દર્શાવવામાં આવેલા ગેંગસ્ટરોની જીવનશૈલીથી પ્રભાવિત હતા.
 

સંબંધિત સમાચાર

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments