Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગરમાં તોફાની પવનના કારણે વીજ પોલ પડતાં દાદા પૌત્ર ઘાયલ,પૌત્રને વધુ ઇજા થવાથી અમદાવાદ ખસેડાયો

Webdunia
બુધવાર, 14 જૂન 2023 (13:36 IST)
જામનગર તાલુકાના ખારા બેરાજા ગામમાં ગઈકાલે એક વીજ થાંભલો ભારે પવનના કારણે તૂટી પડ્યો હતો, અને દાદા પૌત્રને તૂટી પડેલા વિજથાંભલાના કારણે ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી પૌત્રને વધુ ઇજા થવાથી અમદાવાદ ખસેડાયો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ખારા બેરાજા ગામમાં રહેતા દેવાભાઈ જમોડ કે જેઓ ગઈકાલે બપોરે પોતાના ગામના ભરડીયા પાસે ઉભા હતા, અને તેમનો પૌત્ર રોનક જમોડ કે જે પણ દાદાની સાથે ઉભો હતો.

દરમિયાન ભારે પવનના કારણે એકાએક એક વીજ પોલ ભાંગી પડ્યો હતો. જેમાં દાદા પૌત્ર બંનેને ઈજા થઈ હોવાથી તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં દાદા દેવાભાઈ જમોડને માથાના ભાગે ઇજા થઈ હોવાથી આઠ ટાંકા લેવા પડ્યા છે. જોકે તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. ઉપરાંત તેના પુત્ર રોનક કે જેને વધુ ઇજા થઈ હોવાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થવાથી વિજવતંત્ર ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, ઉપરાંત બેડી મરીન પોલીસ સ્ટેશન નો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments