Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 9 સીટ પર જીત નિશ્ચિત, અમિત શાહ અને સીઆર પાટીલને સૌથી વધુ લીડ

Webdunia
મંગળવાર, 4 જૂન 2024 (15:01 IST)
અમદાવાદ પશ્ચિમ, જૂનાગઢ,પોરબંદર,જામનગર,વડોદરા, ખેડા, વલસાડ,મહેસાણા,ગાંધીનગર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનની ગણતરીના શરૂઆતના વલણોમાં કાંટાની ટક્કર જોવા મળી હતી.પરંતુ ધીમે ધીમે ભાજપ ત્રીજી વખત ક્લિન સ્વિપ કરવા જતો હોય તેવું દેખાઈ રહ્યું છે. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીતી ગયાં છે. ત્યારે અમિત શાહ, સીઆર પાટીલ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતી રહ્યાં છે.

સુરેન્દ્રનગર સીટ પરથી ભાજપના ચંદુ સિંહોરાની જીત નિશ્ચિત થઈ ગઈ છે. ચંદુસિંહોરા કોંગ્રેસના ઋત્વિક મકવાણાથી 2.07 લાખ મતથી આગળ છે. જ્યારે 1.98 લાખ મતની ગણતરી બાકી છે.અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપના દિનેશ મકવાણાની જીત થઈ ગઈ છે. દિનેશ મકવાણાને 606545 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર ભારત મકવાણાને 321972 મત મળ્યા છે. આમ ભાજપના દિનેશ મકવાણાની 284573 વોટથી જીત થઈ છે.મહેસાણા સીટ પરથી ભાજપના હરિભાઈ પટેલ કોંગ્રેસના રામજી ઠાકોર કરતા 2.83 મતથી આગળ છે. જ્યારે 1.36 લાખ મતની જ ગણતરી બાકી છે. આમ મહેસાણા સીટ પરથી ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ છે.વલસાડ સીટ પરથી ભાજપના ધવલ પટેલ કોંગ્રેસના અનંત પટેલથી 2.10 લાખ મતથી આગળ છે. હવે 10 હજાર મતની જ ગણતરી બાકી છે. આમ વલસાડ સીટ પર ભાજપની જીત નિશ્ચિત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments