Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદના ખરોદામાં બે સંતાનોને કૂવામાં નાખી માતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

Webdunia
બુધવાર, 13 એપ્રિલ 2022 (10:28 IST)
દાહોદ તાલુકાના ખરોદા ગામમાં રહેતી મહિલાએ અગમ્ય કારણોસર પોતાના બે સંતાનોને કૂવામાં ફેંકીને ઝાડ પર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં જંગી પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. ગામમાં પણ એક સાથે ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હોવાના કારણે ભાગે ગમગીની ફેલાઇ ગઈ હતી.

મહિલાએ કયા કારણસર આ પગલું ભર્યું તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.ખરોદા ગામના કદી ફળિયામાં રહેતા અરવિંદભાઈ દીપાભાઈ ભાભોરે પોલીસને જણાવ્યું હતું કે, તેમના લગ્ન વર્ષ 2008માં રળિયાતી ગામના કુવાળી ફળિયામાં રહેતી 33 વર્ષીય કાળીબેન સાથે થયા હતા. જેમાં સૌથી મોટી છોકરી રેખા (ઉ.વ .13) તેના પછીનો છોકરો વજેસિંગ ઉર્ફે વીજ (ઉ.વ .10), તેના પછીનો છોકરો વિશાલ (ઉ.વ 8)નો છે, તેના પછીના બે જોડિયા સંતાન હતા. જેમાં છોકરી આરતી (ઉવ .6 વર્ષ) તથા છોકરો આર્યન (ઉં.વ. 6) વર્ષ છે.

10મી તારીખે રાત્રીના આશરે 11 વાગ્યાના સુમારે અરવિંદભાઈ એકલા તેમના જૂના ઘરે જઈને સૂઈ ગયા હતા. તેમની પત્ની કાળીબેન તથા 5 સંતાનો તથા ભાઈ પ્રવિણભાઈ દીપાભાઈ ભાભોરની પત્ની હંસાબેન તથા તેના નાના બાળક સાથે જૂના ઘરની સામે નજીકમાં નવા ઘરે જઈને સૂતાં હતાં.ત્યારબાદ 11મી તારીખે સવારના 7 વાગ્યાના સુમારે આર્યન રડતો રડતો અરવિંદભાઈ પાસે ગયો હતો. તેણે કહ્યું કે, બાપા મને મારી મા પાસે લઈ જાવ. જેથી આર્યનને લઈને નવા ઘરે ગયા હતા. ત્યાં જઈને જોયું તો પત્ની કાળીબેન તથા પુત્ર વજેસિંગ તથા પુત્રી આરતી જોવા ન મળ્યાં. જેથી ઘરની બહાર આવી છોકરો વિશાલ તથા છોકરી રેખાને પૂછ્યું કે, તારી માતા ક્યાં છે? તો તેણીએ રડતાં- રડતાં કહ્યું કે, બાપા પેલા આંબા ઉપર લીલું લીલું કંઈક લટકેલું દેખાય છે. જેથી મારા પિતા દીપાભાઈ દોડીને ત્યાં આંબાના ઝાડ પાસે ગયા હતા અને ત્યાં જઈને જોયું તો પત્ની કાળીબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. પણ છોકરો વજેસીંગ તથા છોકરી આરતી આજુબાજુમાં ક્યાંય જોવા મળ્યાં નહીં. તપાસ બાદ પત્નીએ ગળે ફાંસો ખાધો હતો તે આંબાના ઝાડની બાજુમાં વીસેક ફૂટ દૂર આવેલા કૂવામાંથી બંને બાળકો મરણ ગયેલ હાલતમાં મળી આવ્યા હતા.બે બાળકોને કૂવામાં નાખીને પોતે પણ આપઘાત કરી લીધો છે.

પોલીસ તપાસમાં જોતરાઈ છે ત્યારે આ પ્રકરણમાં માતા સામે હત્યાનો ગુનો દાખલ થાય તેવી સંભાવના જોવાઈ રહી છે.ઝાડ ઉપર લટકેલી કાળીબેનના કપડાં ભીનાં હતાં. બાળકોને ફેંકીને કાળીબેન પણ કૂવામાં કૂદી હતી અને મોતના ભયે બહાર નીકળી ફાંસો ખાઈ ગઈ હતી કે પછી કૂવામાં પડેલા બાળકોને બચવામાં નિષ્ફ્ળ રહેતાં અવિચારી પગલું ભર્યું હતું તેની તપાસમાં પોલીસ જોતરાઈ છે.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments