Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીથી રાહત માટે અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ માટે લેવાયેલો મહત્વનો નિર્ણય

Webdunia
શનિવાર, 7 મે 2022 (11:49 IST)
અમદાવાદમાં પડી રહેલી ભીષણ ગરમીના કારણે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. શહેરમાં વાહન ચાલકોની હાલત વધારે કફોડી છે. ટ્રાફિક સિગ્નલ ઉપર બપોરે ભર તડકામાં ઉભુ રહેવું પડે છે. આવા કિસ્સામાં રાહત આપવા માટે શહેર ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે.

બે દિવસના પ્રાયોગિક ધોરણે શહેરના દરેક ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે ૧ થી ૪ વચ્ચે બંધ રાખવા માટેના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગમાં સફળતા મળે તો વધુ રાહત મળી શકે એમ છે અને તેના દિવસો લંબાવવામાં આવે તેવી શક્યતા છે.માર્ચ અને એપ્રિલ મહિનામાં વિક્રમી ગરમી પછી છેલ્લા બે દિવસની રાહત બાદ શનિવાર અને રવિવારથી ફરી હિટ વેવ શરૂ થાય એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. સિગ્નલ ઉપર ત્રણ થી ચાર મિનિટ સુધી વાહન ચાલકોએ અને ખાસ કરીને ટુ વ્હીલર વાહનોએ ઉભુ રહેવું પડે છે ત્યારે તડકાના કારણે તેમની હાલત કફોડી બને છે. જોકે, આ રાહત દરમિયાન ટ્રાફિકના નિયમોનું પાલન થાય, વાહન ચાલકો ઉતાવળ કરી ટ્રાફિક જામ કરે નહિ તો જ તેનો ફાયદો મળી શકે એમ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - "ડૉક્ટર પાર્ટીમાં ગયા

ગુજરાતી જોક્સ - બેંક કેમ ન લૂંટી

ગુજરાતી જોક્સ - નાગ પાંચમ

Meladi maa mandir- દ્વિમુખી મેલડી માતાનું મંદિર રાજકોટ્

કચ્છ રણ ઉત્સવથી માત્ર 150 કિમીની અંદર છે, આ 3 સારા સ્થળો તમે મુલાકાત લઈ શકો છો

વધુ જુઓ..

નવીનતમ

શા માટે લગ્નમાં વર-કન્યા એકબીજાને વરમાળા પહેરાવે છે, શું તમે જાણો છો આ રિવાજ પાછળનું કારણ?

Rose Day 2025- Rose Day પરઆ સુંદર ડ્રેસને સ્ટાઇલ કરો, જુઓ ડિઝાઇન

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

આગળનો લેખ
Show comments