Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીથી રાહત માટે અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ માટે લેવાયેલો મહત્વનો નિર્ણય

Webdunia
શનિવાર, 7 મે 2022 (11:49 IST)
અમદાવાદમાં પડી રહેલી ભીષણ ગરમીના કારણે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. શહેરમાં વાહન ચાલકોની હાલત વધારે કફોડી છે. ટ્રાફિક સિગ્નલ ઉપર બપોરે ભર તડકામાં ઉભુ રહેવું પડે છે. આવા કિસ્સામાં રાહત આપવા માટે શહેર ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે.

બે દિવસના પ્રાયોગિક ધોરણે શહેરના દરેક ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે ૧ થી ૪ વચ્ચે બંધ રાખવા માટેના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગમાં સફળતા મળે તો વધુ રાહત મળી શકે એમ છે અને તેના દિવસો લંબાવવામાં આવે તેવી શક્યતા છે.માર્ચ અને એપ્રિલ મહિનામાં વિક્રમી ગરમી પછી છેલ્લા બે દિવસની રાહત બાદ શનિવાર અને રવિવારથી ફરી હિટ વેવ શરૂ થાય એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. સિગ્નલ ઉપર ત્રણ થી ચાર મિનિટ સુધી વાહન ચાલકોએ અને ખાસ કરીને ટુ વ્હીલર વાહનોએ ઉભુ રહેવું પડે છે ત્યારે તડકાના કારણે તેમની હાલત કફોડી બને છે. જોકે, આ રાહત દરમિયાન ટ્રાફિકના નિયમોનું પાલન થાય, વાહન ચાલકો ઉતાવળ કરી ટ્રાફિક જામ કરે નહિ તો જ તેનો ફાયદો મળી શકે એમ છે.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments