Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ અગ્નિકાંડમાં માનવ અધિકાર પંચે જવાબદાર અધિકારીઓ અંગે માંગ્યો અહેવાલ

Webdunia
મંગળવાર, 28 મે 2024 (18:39 IST)
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ વલખાં મારી રહ્યાં હોય તેવી કરૂણ સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્ય સરકાર દ્વારા DNA ટેસ્ટ કરીને પરિવાજનોને તેમના સ્વજનોના મૃતદેહો આપી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં 28માંથી માત્ર 17 લોકોના મૃતદેહોના DNA મેચ થયાં છે. આ ઘટનામાં રાજ્ય સરકારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતાં અને રાજકોટના પોલીસ કમિશ્નર તથા મ્યુનિસિપલ કમિશ્નરની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ રાજ્ય માનવ અધિકાર પંચે પોલીસ કમિશ્નર અને મહાનગરપાલિકાના કમિશ્નરને ફટકારી નોટિસ ફટકારી છે. 
 
રાજકોટ અગ્નિકાંડ બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
રાજકોટની ઘટનામાં સરકારે સાત અધિકારીઓ સામે સસ્પેન્શનના પગલાં લીધા બાદ હવે માનવ અધિકાર પંચ એક્શનમાં આવ્યો છે. રાજ્ય માનવ અધિકાર પંચે પોલીસ કમિશ્નર અને મહાનગરપાલિકાના કમિશ્નરને ફટકારી નોટિસ ફટકારી છે. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અંગે અહેવાલ માંગવામાં આવ્યો છે. તે ઉપરાંત  રાજ્યના તમામ જિલ્લા કલેકટર, એસપી અને પોલીસ કમિશ્નર પાસે ગેરકાયદેસર મંજૂરી વગર તેમજ ફાયર એનઓસી વગર ચાલતા ગેમઝોન અંગે માહિતી માંગવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. RMC અને માર્ગ મકાન વિભાગના સસ્પેન્ડેડ અધિકારીઓની પુછપરછ હાથ ધરાઇ. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર, એન્જીનિયરની પુછપરછ હાથ ધરાઈ છે.
 
આવતીકાલ સુધીમાં તમામ મૃતદેહોની DNA તપાસ પૂરી થઈ જશે
આવતીકાલ સુધીમાં તમામ મૃતદેહોની DNA તપાસ પૂરી થઈ જશે. પૂર્વ અધિકારીઓ સામે પણ સકંજો કસાય શકે છે. ગેમ ઝોન શરૂ થાયા એ સમયે ફરજ પરના ટોચના અધિકારીઓની વિગતો મગાવવામાં આવી છે. ગેમ ઝોન બાદ રાજ્યમાં હવે મૂવી થિએટર્સમાં પણ તપાસ માટે સરકાર આદેશ આપશે. પ્રાથમિક રિપોર્ટને આધિન સરકારે 7 અધિકારીઓને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કર્યા છે.બીજી તરફ રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ ચાર્જ સંભાળી લીધો છે. તેમણે બેઠક કરીને હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બાળક નહી સાંભળતો કોઈ વાત તો આ પેરેંટિંગ ભૂલ થઈ શકે છે જવાબદાર તરત સુધારી લો ટેવ

શરદી ખાંસી પછી જો ગળું બેસી જાય કે ગળામાં ખરાશ છે તો અપનાવો આ ઘરેલું ઉપચાર

ડાયાબિટીસમાં જામફળના પાન સુગર ડિસ્ટ્રોયર અને ટોનિકનું કરે છે કામ, જાણો કેવી રીતે ખાશો ?

વરસાદની સિઝનમાં આ હેલ્ધી સૂપ રેસિપી અજમાવો, તે ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે.

વરસાદમાં વધારે ભીના કપડા પહેરવાથી થઈ શકે છે આ નુકશાન આછે બચાવના ઉપાય

વધુ જુઓ..

નવીનતમ

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

આગળનો લેખ
Show comments