Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ : ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાં દાખલ, માઈનર સર્જરી પછી રજા અપાઈ

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (13:00 IST)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના એક હોસ્પિટલમાં દાખલ થયા. ડોક્ટરોએ એક માઈનર સર્જરી પછી તેમને રજા આપી. અમિત શાહ સારવાર બાદ ઘરે ચાલ્યા ગયા છે. રિપોર્ટ મુજબ બુધવારે (4 સપ્ટેમ્બર)ના રોજ સવારે 9 વાગ્યે ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના કેડી હોસ્પિટલમાં દાખલ થયા. ત્યા ડોક્ટરોએ એક માઈનર સર્જરી કરી છે. સર્જરી ક્યા કારણે થઈ છે તેની માહિતી હજુ મળી નથી. લગભગ સાઢા 12 વાગ્યે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.  ત્યારબાદ અમિત શાહ ઘર માટે રવાના થઈ ગયા. 
 
ઉલ્લેખનીય છે કે અમિત શાહ અમિત શાહ તેમના પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે તારીખ 4 અને 5 સપ્ટેમ્બરે ગુજરાતમાં રહેવાના છે. શાહ રાજકીય મુલાકાતે ન હોવાથી કમલમમાં પણ કોઇ ખાસ સૂચના અપાઈ ન હતી. ગૃહમંત્રી અમિત શાહ 6 સપ્ટેમ્બરે વિજાપુર પાસેના હિરપુરા ગામે સાબરમતી નદીમાં આકાર પામનારા 213 કરોડ રૂપિયાના બેરેજનું ખાતમૂહુર્ત કરશે. આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ કર્યા બાદ ગૃહમંત્રી અચાનક અમદાવાદ આવ્યાં છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments