Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાલનપુર ખાતે શહિદ થયેલા પાટીદારોના પરિવારને ન્યાય અપાવવાની લડતમાં હાર્દિક જોડાયો

Webdunia
બુધવાર, 13 જૂન 2018 (17:41 IST)
મંગળવારે થયેલા પાટીદારોના ધરણાના બીજા દિવસે હાર્દિક પટેલ જોડાયો હતો. ધરણા સ્થળે આવી પહોંચેલા હાર્દિક પટેલને જોઇ સમગ્ર વિસ્તાર જય સરદાર જય પાટીદારના નાદથી ગુંજી ઉઠ્યો હતો. બનાસકાઠા જિલ્લામાં અનામત આંદોલન વખતે શહીદ થયેલા શહીદોના પરિવારોને છેલ્લા ત્રણ વર્ષથી સરકાર ન્યાય આપવાની વાત કરી રહી છે, પરંતુ ન્યાય આપતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાટીદાર સમાજ પાલનપુર શહેરની જોરાવર પેલેસમાં આવેલી કલેક્ટર કચેરીની બહાર ધરણા યોજી ન્યાયની લડતને લઇ મંગળવારે મેદાને ઉતર્યા છે. જ્યારે તેમની માંગનો સ્વીકાર ન કરાતા પાટીદારો બીજા દિવસે બુધવારે પણ ધારણા યથાવત રાખ્યા હતા.પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા ગોળીબાર ને લઈ ગુજરાત સરકારે ત્રણ વખત દીધું કે અમે સીઆઇડીને તપાસ સોંપી છે તો કોઈ રિપોર્ટ આપ્યો શું કામ નથી. હાઇકોર્ટે પણ સ્વીકાર્યું કે પોલીસે ખોટી રીતે ગોળીબાર કર્યો છે. સીઆઇડીએ તમામ રિપોર્ટ એવા આપ્યા ઘરના ભૂવા ને ઘરના ડાકલા પ્રમાણે કે કોઈ કોઈ પોલીસ ફાયરિંગમાં કોઈનું મોત થયું નથી. આ વિધાનસભાની અંદર બોલેલા શબ્દો છે. મને એ ખબર નથી પડતી કે તપાસ થઈ છે કે નથી થઈ. તપાસ થઈ હોય તો આપ જાહેર કરો કે આટલી તપાસ થઈ નથી. થયું તો જાહેર કરો. પ્રશ્ન એ છે કે અમે આટલી એટલે રજૂઆત કરીએ છીએ તો પણ સરકાર શા માટે સાંભળતી નથી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments