Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતને આજે ત્રીજી વંદે ભારત મળશે

Webdunia
રવિવાર, 24 સપ્ટેમ્બર 2023 (10:09 IST)
આજે વડાપ્રધાન મોદી ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવશે. આ વંદે ભારત ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે. 
 
જામનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી પ્રથમ વંદેભારત ટ્રેનને વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ રીતે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે.આ વંદે ભારત ટ્રેનનું આજે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને પરત સાબરમતી સુધી ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું.
 
ટ્રેનને 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી. સૌરાષ્ટ્ર તરફના રેલવે ટ્રેક ઉપર 100 ઉપરની સ્પીડથી ટ્રેનને દોડાવીને સંપૂર્ણપણે તપાસ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી કે તકલીફ જોવા મળી નહોતી.સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને વિરમગામથી પરત સાબરમતી સુધી ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે ટ્રેનની સ્પીડ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું.
 
110થી 120ની સ્પીડ ઉપર ટ્રેન ચલાવી હતી. જેમાં ક્યાંય પણ કોઈ ખામી જોવા મળી નહોતી. ટ્રેનના કોચમાં એસી, ડોર, એક્ઝિક્યુટિવ ચેરકાર, સીસીટીવી, વાઈફાઈ વગેરેની તપાસ કરવામાં આવી હતી.વંદે ભારત ટ્રેન જામનગરથી ઊપડી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતી થઈ અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચશે. જામનગરથી અમદાવાદ માત્ર 5 કલાકમાં ટ્રેન પહોંચાડી દેશે. સંભવિત ટાઈમટેબલ મુજબ વંદે ભારત ટ્રેન જામનગરથી સવારે 5:30 વાગ્યે ઊપડશે અને સાબરમતી 10.10 અને અમદાવાદ રેલવે સ્ટેશન 10.25ની આસપાસ પહોંચશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુગર કંટ્રોલ કરવા માટે પીવો આ બીજનું પાણી, તમારું સ્વાસ્થ્ય પણ થશે મજબૂત

Gold Facial- તમે ઘરે મોંઘા ગોલ્ડ ફેશિયલ પણ કરી શકો છો, બસ આ બ્યુટી ટિપ્સને અજમાવો

બ્રેડ સ્પ્રિંગ રોલથી કરવી તમારા દિવસની શરૂઆત જાણો સરળ રેસીપી

ટ્રેડિશનલ ગુજરાતી વાનગી પાનકી

વરસાદમાં પલળી ગયા છે જૂતા મિનિટોમાં સુકાવવાનુ કામ કરશે આ સરળ ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

આગળનો લેખ
Show comments