Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં ગણેશ વિસર્જનમાં મોટી દુર્ઘટનાઃ મામા-ભાણેજ આજી ડેમમાં ડૂબી જતા મોત

Webdunia
શનિવાર, 23 સપ્ટેમ્બર 2023 (19:10 IST)
ganesg visarjan
રાજકોટમાં ગણેસ વિર્સજન કરતા સમયે ડૂબી જતા મામા-ભાણેજના મોત થયા છે. આજીડેમમાં ડૂબી જતા બન્નેના મોત નિપજ્યા છે. કોઠારિયા રોડ પર આવેલી મણિનગર સોસાયટીમાંથી મામા-ભાણેજ ગણેશ વિર્સજન માટે આજીડેમ ગયા હતા. ડેમમાં ડૂબી જતા ફાયરબ્રિગેડ દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ગણેશ વિર્સજન કરતી વખતે મામા-ભાણેજ ડૂબતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ મણિનગર સોસાયટીમાં રહેતા રામભાઈ (ઉં.વ.33) અને તેનો ભાણેજ હર્ષ (ઉં.વ.19) ગણેશ વિર્સજન માટે આજીડેમ ગયા હતા. જ્યાં ઊંડા પાણીમાં બન્ને ગરકાવ થતા બન્નેના મોત થયા છે. રામભાઈ અને તેનો ભાણેજ હર્ષ અન્ય એક વ્યક્તિ સાથે ગણપતિ બાપાની મૂર્તિ લઈને આજી ડેમમાં વિર્સજન માટે ઉતરે છે, પાણીમાં ચાલતા ચાલતા 80થી 100 ફૂટ જેટલા દૂર ઊંડા પાણીમાં જતા દેખાય છે. બાદમાં ઊંડા પાણીમાં જેવા ગણપતિબાપાની મૂર્તિ વિસર્જન કરે છે ત્યારે ત્રણેય ડૂબવા લાગે છે. પરંતુ રામભાઈ અને હર્ષ ડૂબવા લાગે છે જ્યારે ત્રીજી વ્યક્તિ તરીને બહારની તરફ આવી જતી દેખાઇ છે એટલે તે બચી જાય છે. જ્યારે રામભાઈ અને હર્ષ પાણીમાં બચવા માટે પ્રયાસ કરે છે પણ ત્યાં સુધીમાં તેઓ પાણીમાં ગરક થઈ જાય છે

ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ટીમ દોડી આવે છે અને રામભાઈ અને હર્ષના મૃતદેહને બહાર કાઢે છે. ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ પણ દોડી આવે છે અને બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદમાં રેલવેકર્મીએ મણિનગર રેલવે ક્રોસિંગ પર કર્યો આપઘાત

Haryana Assembly Election Live: મહમમાં હંગામો, ભાજપના ધારાસભ્ય બલરાજ કુંડુ સાથે ઝપાઝપી, કપડા ફાડ્યા

Jammu Kashmir News - જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં કલાકો સુધી એન્કાઉન્ટર ચાલ્યું, સેનાએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો

51 Shaktipeeth : મા વારાહી પંચ સાગર શક્તિપીઠ - 36

Delhi doctor murder- દિલ્હીમાં નર્સ સાથે ડોક્ટરના હતા ગેરકાયદે સંબંધ, નારાજ પતિએ દીકરીના સગીર પ્રેમીને આપી સોપારી

આગળનો લેખ
Show comments