Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત યુનિ.ને મળ્યા પ્રથમ મહિલા કુલપતિ

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (18:30 IST)
નીરજા ગુપ્તા હાલ મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત છે. નીરજા ગુપ્તા અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટડી અબ્રોડના ડિરેક્ટર અને ભવન્સ કોલેજના આચાર્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં નીરજા ગુપ્તાએ સાંચી બૌદ્ધ-ભારતીય નોલેજ સ્ટડીઝ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ સંભાળ્યું હતું. સાંચી યુનિવર્સિટીમાં જોડાતા પહેલા નીરજા ગુપ્તા આરએ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન,ખાનપુર, અમદાવાદ ખાતે પ્રોફેસર અને પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહી હતી. 
 
ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે
નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજના આચાર્ય રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલના પણ સભ્ય રહી ચૂક્યા છે. નીરજા ગુપ્તા ઈંગ્લિશ વિષયના પ્રોફેસરે રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયનના સભ્ય પણ રહી ચૂક્યા છે.
 
ડોક્ટરેટની પદવી 
ડો. નીરજા ગુપ્તા આરએપીજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે. 2006થી 2012 સુધી ડો.ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેસન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂ પર પ્રભુત્વ ધરાવે છે.
 
UGCના સભ્યની નિમણૂક થતાં સર્ચ પ્રક્રિયા ઝડપી બની
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીના ત્રણ સભ્યની નિમણૂક થઈ હતી. ત્યાર બાદ UGCના સભ્યની નિમણૂક બાકી હતી, જે હવે થઈ ચૂકી છે. UGC દ્વારા છત્તીસગઢના ડૉકટર રમાશંકર કુરિલની કમિટીના સભ્ય તરીકે નિમણૂક થઈ છે. હવે કુલપતિની પસંદગી માટેની પ્રક્રિયા આગળ શરૂ કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેઠી ક્રાઇમ - યુપીના અમેઠીમાં શિક્ષક, પત્ની અને બે બાળકોની ગોળી મારીને હત્યા

દિલ્હીના 'કાલકા જી મંદિર'માં કરંટ ફેલાવવાથી નાસભાગ, 1 બાળકનું મોત, અનેક લોકો ઘાયલ

Ghaziabad crime- પિયર આવેલી સાળી સાથે જીજાના દુષ્કર્મનો મામલો આવ્યો સામે

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, બુંદીના ગુરુકુળમાં લાગી ભીષણ આગ, ઘણા બાળકો જીવતા દાઝી ગયા, હાલત ગંભીર

Ashapura Mata No Madh - આશાપુરા માતાનો મઢ કચ્છ

આગળનો લેખ
Show comments