Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ વિસરાઈ ગઈ ખુશ્બુ ગુજરાત કી?

gujarat tourism
Webdunia
સોમવાર, 29 ઑક્ટોબર 2018 (12:50 IST)
ગુજરાતમાં પ્રવાસનને વેગ આપતા ગીરના સિંહો પરના સંકટને ઉકેલવા માટેના પ્રયાસો ચાલુ જ છે અને બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક શ્રેષ્ઠ સહેલાણી સ્થળ બનાવવાના એક પણ પ્રયાસમાં કચાશ નહી રાખવાનો પરીશ્રમ કરવામાં આવી રહ્યો છે તે સમયે રાજયમાં ટુરીસ્ટની ઘટેલી સંખ્યા એ ચિંતાનો વિષય બની રહી છે અને ટુર ઓપરેટર તેને રાજયમાં એક યા બીજા બહાને ઉભી થઈ રહેલી અશાંતિને પણ કારણ ગણે છે. ખાસ કરીને હાલમાં જ પરપ્રાંતીય પરના હુમલાના કારણે ગુજરાતમાં સલામતી અંગે એક પ્રશ્ર્ન પૂછાવા લાગ્યા છે અને તેના કારણે રાજયમાં નવરાત્રી સમયે જે પ્રવાસી બુકીંગ થતું હોય છે તેમાં 14.4% નો ઘટાડો થયો છે.વાસ્તવમાં ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગના આંકડા કહે છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ટુરીસ્ટ આગમનની સંખ્યા ઘટી છે. 2015-16માં ટુરીસ્ટ ગ્રોથમાં 25.9% અને 2017-18માં 14.4% નો ઘટાડો થયો છે. સરકારનો દાવો છે કે 2015-16માં રાજયમાં 1.20 કરોડ પ્રવાસીઓ આવ્યા અને 2016-17માં 1.30 કરોડ આવ્યા. આમ પ્રવાસીઓનો વધારો થયો છે પણ જે ટુરીસ્ટ ગ્રોથના દરમાં ઘટાડો થયો છે. મતલબ કે જે ટુરીસ્ટની સંખ્યા વધતી હતી તેને બ્રેક લાગી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક ખર્ચમાં ગુજરાત સામાજીક રાજકીય ચિત્ર અસ્થિર બન્યું છે. પાટીદાર-દલિત સહિતના આંદોલનો વારંવાર થાય છે. હાલમાં જ બિહાર, યુપી સહીતના રાજયોના મજુરો પર હુમલા થયા જેનાથી રાજયનો પ્રવાસ કરતા લોકોના વિશ્રામમાં ઘટાડો થયો છે. કોઈ એવા હજારો રજા માણવા જવાનું પસંદ ન કરે જયાં અશાંતિ હોય, રાજયમાં કોઈ ભોગે કાયદો વ્યવસ્તા જળવાવી જોઈએ અને તે જ રાજયની આવક વધારી શકશે. હાલમાં જ ગુજરાતની નવરાત્રી, ટુરીસ્ટની દ્રષ્ટીએ ફીકકી રહી હતી તેવું જણાવતા કહ્યું કે આ સમયે નવરાત્રીની સાથે સોમનાથ-દ્વારીકાનું ખાસ આકર્ષણ હોય છે અને લોકો આ પ્રવાસને રાજયના અન્ય ધર્મ કે સહેલાણી સ્થળ સાથે સાંકળે છે પણ આ ખર્ચ નવરાત્રીએ જે પ્રવાસી ક્રેઝ હોય છે તે જોવા મળ્યો નહી. વાઈબ્રન્ટ નવરાત્રી પણ ફકત હવે એક ક્રિયાકાંડ જેવી બની રહી હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments