Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારે 1408નું ટેબલેટ રૂ. 6667માં ખરીદી રૂ. 162 કરોડનું કૌભાંડ આચર્યું : ધાનાણી

Webdunia
શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (15:01 IST)
રાજ્ય સરકાર દ્વારા ધો-૧૦ પછી ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ અને ધો-૧૨ પછી કોઈપણ શાખાના વિદ્યાર્થીને રૂ. ૧૦૦૦માં ટેબલેટ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકારે રૂ. ૧૪૦૮નું ટેબલેટ રૂ. ૬૬૬૭માં ખરીદીને રૂ. ૧૬૨ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં કર્યો છે.

જોકે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પેસિફિકેશનનો હવાલો આપીને વિપક્ષી નેતાના આક્ષેપ ફગાવ્યા હતા અને કહ્યું કે, ટેબલેટ ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરીને ખરીદી કરવામાં આવી છે. શક્ય છે કે, સરકારે ખરીદેલાં ટેબલેટ અને ઓનલાઈન વેચાઈ રહેલાં ટેબલેટના ફિચર્સ અને સ્પેસિફિકેશનમાં તફાવત હોઈ શકે છે. ૨૦૧૯-૨૦ના વર્ષમાં રાજ્યના ૩.૦૯ લાખ વિદ્યાર્થીઓએ ટેબલેટ માટે અરજી આપી હતી. જેમાંથી ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા છે જ્યારે ૧.૫૮ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બાકી છે.

વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સુરત અને વડોદરા જિલ્લામાં ટેબલેટ આપવાનો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ ઉઠાવ્યો હતો. આ ચર્ચામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકાર વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૧૦૦૦ ભરાવીને જે ટેબલેટ આપે છે તે લીનોવો કંપનીનું  ટેબલેટ અલીબાબા ડોટ કોમ નામની ઓનલાઈન કંપની પર રૂ. ૧૪૦૮ (19.56 US ડોલર)માં મળે છે! વિદ્યાર્થીના હિસ્સાના રૂ. ૧૦૦૦ બાદ કરીએ તો સરકારને માત્ર રૂ. ૪૦૮ જ ચૂકવવાના થાય, પરંતુ સરકારે ટેબલેટ રૂ. ૬૬૬૭માં ખરીદ્યું છે. એટલે કે, એક ટેબલેટ દીઠ રૂ. ૫૨૫૯ વધારે ચૂકવ્યા છે! અને ૩ લાખ ટેબલેટની ગણતરી કરીએ તો રૂ. ૧૬૨.૮૪ કરોડ કોના ખિસ્સામાં ગયા?

વિપક્ષી નેતા ધાનાણીએ કહ્યું કે, તેઓ સરકાર પર આક્ષેપ મૂકતા નથી, પરંતુ આ રકમ કોણ ઓળવી ગયું તેની તપાસ થવી જોઈએ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દરમિયાનગીરી કરતાં વિપક્ષી નેતાના તમામ આક્ષેપો ફગાવીને કહ્યું કે, કઈ વેબસાઈટ પર આ ટેબલેટ વેચાય છે તેની ખબર નથી, પરંતુ જ્યાં સુધી સરકારને લાગે વળગે છે ત્યાં સુધી આ યોજનામાં કોઈ ગોટાળો કે કૌભાંડ થયું નથી.

આપણા ટેકનોસેવી વિદ્યાર્થીઓ-યુવાનો સ્પર્ધામાં ટકી શકે તે માટે છેલ્લા ત્રણ વર્ષથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. વળી, ટેબલેટની ખરીદી ગ્લોબલ ટેન્ડરિંગ થકી કરવામાં આવે છે અને તેના ફિચર્સ અને સ્પેસિફિકેશન પણ અલગ હોઈ શકે છે. જોકે, વિપક્ષી નેતાએ સમગ્ર પ્રકરણની તપાસ કરાવવાની માગ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments