Webdunia - Bharat's app for daily news and videos

Install App

શામળાજી મંદિરમાં ટૂંકાં કપડાં પહેરી પ્રવેશવાની મનાઈ

Webdunia
શનિવાર, 20 માર્ચ 2021 (10:11 IST)
એક ખાનગી ચેેેનલના એક અહેવાલ પ્રમાણે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં સ્થિત શામળાજી મંદિરમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓને ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.
 
આ સિવાય મંદિરમાં મુકાયેલ નોટિસમાં દર્શનાર્થીઓ માટે માસ્ક પહેરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
 
નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાતમાં અને દેશમાં વસ્ત્રોને લઈને ચર્ચા ચાલી રહી છે. અમુક દિવસો પહેલાં જ કૉંગ્રેસના એક ધારાસભ્યને ગુજરાત વિધાનસભામાંથી ટી-શર્ટ પહેરવાને લઈને બહાર કાઢવામાં આવ્યા હતા.
 
આ સિવાય ઉત્તરાખંડના મુખ્ય મંત્રી તીરથસિંહ રાવતે પણ તાજેતરમાં જ મહિલાઓનાં કપડાં બાબતે ટિપ્પણી કરી હતી. જેની પણ ઘણી ચર્ચા થઈ હતી.
 
આવી પરિસ્થિતિમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા સ્ત્રીઓ અને પુરુષો બંને માટે ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments