Festival Posters

દોઢ વર્ષની દફનાવેલી માસૂમ બાળકીની લાશને ચીરીને ભૂવાએ તાંત્રિક વિધી કરી

Webdunia
શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:50 IST)
પંચમહાલ જિલ્લાના સરસવા ગામે સ્મશાનમાં દોઢ વર્ષની દફનાવેલી માસૂમ બાળકી પર તાંત્રીક વિધી કરવા માટે ભૂવાએ તેની લાશ ચીરીને ટૂકડા કરી દીધા હોવાનો કિસ્સો બન્યો હતો. ભૂવાના આ કરતૂતોની મૃતકના પરિવારજનોને જાણ થતાં તેઓએ આ મામલે પોલીસ મથકમાં ફરીયાદ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને ભૂવાની શોધખોળ શરૂ કરી. સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રણછોડ રાઠવાના પરિવારજનોને જાણ થતાં તેઓએ સ્મશાનમાં પહોંચીને તપાસ કરતાં અમરસીંગ ફતાભાઇ રાઠવા નામના ભૂવા દ્વારા આ તાંત્રીક વિધી કરવામાં આવી હોવાની માહિતી મળી હતી જેથી તેઓએ આ ઘટના અંગેની રાજગઢ પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરીને આ ભૂવાની સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. પોલીસે અમરસીંગ રાઠવાની સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી હતી..રણછોડ રાઠવાએ  જણાવ્યુ હતુ કે, અમરસીગ રાઠવા નામના આ ભૂવાએ ભૂતકાળમાં આ પ્રકારના અનેક કરતૂતો કરેલા છે. તેની સામે અમારા સમાજમાં કોઇ બોલી શકતુ નથી. અમને જ્યારે સ્મશાનની આસપાસના ખેડૂતોએ ટેલીફોન કરીને જાણ કરી અમે પણ ચોંકી ગયા હતા. સ્થળ પર જઇને ચકાસણી કર્યા બાદ અમે આ અંગેની પોલીસને ફરીયાદ કરી હતી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments