Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિકને સમર્થન આપવા આવી રહેલા 15 આંદોલનકારીઓની ધરપકડ કરાઈ

Webdunia
શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:47 IST)
અમદાવાદમાં હાર્દિક પટેલનાં ઉપવાસ મામલાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. હાર્દિકને સમર્થન આપવા આવી રહેલા 15 આંદોલનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પાસ કન્વીનર મનીષ દોંગાની ધરપકડ કરવામાં આવી છે. અનામત આંદોલનમાં તોડફોડ મામલે સેસન્સ કોર્ટમાં ચૂકાદો આવવાની શક્યતા નહીવત છે. જજ રજા ઉપર હોવાને કારણે ચૂકાદો આવવાની શક્યતા નહીવત છે. તો હાર્દિકે ઉપવાસ મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,જેલમાં પણ હું ઉપવાસ કરીશ.
આ મામલે હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું છે કે, “મિત્રો, કાલે મારી જામીન અરજી રદ થઈ શકે છે. ઉપવાસ આંદોલન રોકવા માટે ગુજરાત સરકારે મારી જામીન અરજી વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે. પરંતુ અમે ચૂપ નહીં બેસીએ, જેલમાં પણ ખેડૂતો અને અનામત માટે અનિશ્ચિતકાળના ઉપવાસ કરીશું. અમે લડીશું અને જીતીશું. ઇન્કલાબ ઝિંદાબાદ.” હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી ઉપવાસ પર ઉતરવાનો છે ત્યારે જો તેની ધરપકડ કરવામાં આવશે તો હાર્દિક પટેલ જેલમાં ઉપવાસ કરશે. હાર્દિકે જણાવ્યું હતું કે, કોર્ટનો આદેશ શિરોમાન્ય રહેશે. જો જેલમાં જવું પડશે તો જેલમાં ઉપવાસ કરીશ. હું સત્યના માર્ગે લડાઈ લડીશ. કોઈના દબાણને વશ થઈને લડાઈ છોડી દઈશ નહી.
પાટીદાર આંદોલન વખતે રામોલના કોર્પોરેટર પંકજ પટેલના ઘરે 20 માર્ચ 2017ના રોજ હાર્દિક પટેલ સહિતના લોકોએ તોડફોડ કરી હતી. આ મામલે કોર્ટે રામોલમાં ન જવાની શરતે જામીન આપ્યા હતા. ત્યારબાદ 3 જાન્યુઆરી-18ના હાર્દિક રામોલમાં ગયો હતો જેથી કોર્ટની શરત ભંગ થવાથી જામીન રદ્દ કરવા માંગ કરવામાં આવી હતી. રામોલમાં થયેલી તોડફોડના કેસ મામલે હાર્દિક પટેલની જામીન અરજી સામે સરકારે હાર્દિકની જામીન અરજી રદ કરવાની અરજી કરી છે. હવે જો સેશન્સ કોર્ટ હાર્દિક પટેલની જામીન અરજી રદ કરશે તો તેણે જેલમાં જવું પડી શકે છે. હાર્દિકના રામોલમાં પ્રવેશને લઇને પણ સરકારી વકીલ તરફથી વાંધો ઉઠાવામાં આવ્યો હતો. વકીલ તરફથી દલીલ કરાઇ હતી કે રામોલમાં હાર્દિકના કોઈ સગાસબંધી પણ રહેતા નથી. હાર્દિકના જામીન રદ્દ કરવા માટે ત્રણ અલગ અલગ પોલીસ અધિકારીઓએ ગુપ્ત રિપોર્ટ કોર્ટમાં રજૂ પણ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments