Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગરમાં 5 કાળિયારનાં મોત થતાં અધિકારીઓ દોડતાં થયાં

Webdunia
મંગળવાર, 19 જૂન 2018 (12:09 IST)
ભાવનગર નજીક કાળાતળાવ ભાલ વિસ્તારના નર્મદ ગામ નજીક આવેલી “અર્ચિત ઓર્ગનોસીસ” નામની કેમિકલ કંપનીની પાછળના ભાગે  પાંચ જેટલા કાળીયારના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવના પગલે વનવિભાગ-એફ.એસ.એલ અને જીપીસીબી ના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા અને તમામ કાળીયારની લાશને પીએમ માટે મોકલી તેમજ પાણી તેમજ અન્ય સેમ્પલો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે કાળીયાર કમોતને લઇને અનેક તર્કવિર્તકો થઇ રહ્યા છે.  આ અંગેની વિગત એવી છે કે કાળાતળાવ ભાલ વિસ્તારના નર્મદ ગામ નજીક આવેલી “અર્ચિત ઓર્ગનોસીસ” નામની કેમિકલ કંપનીની પાછળના ભાગે આજે સવારે ૧૦ વાગ્યા આસપાસના સમયે પાંચ જેટલા કાળીયારના મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા વનવિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને આ કાળીયારના મોત ફેકટરીના કેમિકલ યુક્ત પાણી પીવાથી થયા હોય તેમ જણાતા   આ બનાવ અંગે જીપીસીબીના અધિકારીઓ અને એફ.એસ.એલ ને જાણ કરતા તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જ્યાં ફેક્ટરી નજીક ભરેલા પાણીના સેમ્પલો  લેવામાં આવ્યા હતા તેમજ ઘટના સ્થળેથી કાળીયારના મોત બાદ તેમના મોઢામાંથી નીકળેલી પ્રવાહીના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા.જયારે તમામ કાળીયારને પીએમ માટે વિક્ટોરિયા પાર્ક એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે  યોગ્ય તપાસ અને પગલા ભરાય તેવી માંગ કરવામાં આવી છે. મોનોકોટો અને એસીટીક એસીડનું ઉત્પાદન કરતી “અર્ચિત ઓર્ગનોસીસ” કે જે અન્ય કેમિકલ તેમની સામે આવેલી નીરમા કંપની પાસેથી પાઈપ દ્વારા મેળવતી હોય અને જે પાઈપમાં લીકેઝ કે ભંગાણના કારણે ખાડામાં રહેલા પાણીમાં આ કેમિકલ ભળી જતા અને તેને પીવાથી કાળીયાર અને પક્ષીઓના મોત થયા નું હાલ સ્થાનિકો અનુમાન કરી રહ્યા છે ત્યારે હવે પીએમ અને એફ.એસ.એલ રીપોર્ટ બાદ જ હકીકત બહાર આવશે. સ્થાનિકોના મતે અહીં મોતને ભેટલા કાળીયાર ની સંખ્યામાં પણ વધારે હોય શકે છે ત્યારે આ બનાવમાં અનેક શંકાઓ ઉભી થઇ રહી છે જેમાં યોગ્ય તપાસ થાય તે પણ જરૂરી છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments