rashifal-2026

ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ તરીકે કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાની પસંદગી કરી

Webdunia
બુધવાર, 28 માર્ચ 2018 (10:55 IST)
કોંગ્રેસ હાઈ કમાન્ડે હવે ભરત સિંહ સોલંકીનું રાજીનામું સ્વીકારી લીધું હોવાનું સામે આવી રહ્યું છે. કારણ કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ પર આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે.   અમિત ચાવડાએ ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે.  ભરત સિંહ સોલંકી સામે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના જ કાર્યકરો અને નેતાઓનો વિરોધ કરી રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પર ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યાની અફવા પણ ઊડી હતી. જોકે તે સમયે કોંગ્રેસ અને ભરતસિંહ સોલંકીએ અફવા ગણાવી હતી. આ અંગે કોંગ્રેસ તરફથી પૂર્વ સાંસદ તેમજ જનરલ સેક્રેટરી જનાર્દન દ્વિવેદીએ અખબાર યાદીમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ તરીકે વરણી કરી છે. તેઓ ભરસિંહ સોલંકીનું સ્થાન લેશે. અધ્યક્ષ તરીકે ભરતસિંહે કરેલા ઉત્તમ કાર્યને પક્ષ બિરદાવે છે. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. નવી ટીમ બનાવી રહ્યા છે તેમજ પાર્ટીને લગતા નિર્ણયો ખુબ ઝડપથી કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતમાં કોંગ્રેસને કેટલી સફળતા અપાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments