Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૂંટણીૂં સમયના સાથી હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે દરાર?

Webdunia
ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:45 IST)
હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ ચૂંટણીના કપરા સમયમાં એકબીજાનો બરાબર સાથ આપ્યો હતો પરંતુ હવે પોતપોતાની કોમને લઈને સામસામે આવી ગયા છે.હાર્દિક પટેલે જ્યારે ટ્વીટ કર્યું કે ગીતાપુરાના કેટલાંક ગુંડાઓએ અમદાવાદના એક ગામની જમીન પડાવી પાડી છે જેનો ગામવાસીઓએ વિરોધ કર્યો છે. તે લોકો દેત્રોજમાં મામલતદારની ઑફિસ બહાર ઉપવાસ પર બેસી ગયા હતા. અસામાજિક તત્વોને કોઈપણ જાતિ સાથે સાંકળવા જોઈએ નહિ. આ ટ્વીટને કારણે દલિતો રોષે ભરાયા હતા. પાંચ દલિત પરિવારોને રહેવા માટે પ્લોટનું પઝેશન ન મળતા તે વિરોધ કરવા ઉપવાસ કરી રહ્યા હતા. તેની સામે ગામના પટેલો પણ ઉપવાસ પર બેસી ગયા હતા. તેમણે માંગ કરી કે દલિતોને આ પ્લોટ ન અપાવા જોઈએ કારણ કે તે ગ્રામપંચાયતના છે. હાર્દિક 24 જાન્યુઆરીએ આ વિરોધ કરનાર પાટીદારોને મળ્યો હતો. તેના એક દિવસ પહેલા જિજ્ઞેશ મેવાણી આમરણાંત ઉપવાસ પર બેસનાર દલિતોને મળ્યો હતો.જમીનનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. વહીવટકર્તાઓએ દલિત પરિવારને તેમની ખેતીની જમીન નોન-એગ્રિકલ્ચરલ જમીનમાં પરિવર્તિત કરી તેના પર ઘર બાંધવાની પરવાનગી આપી દીધી છે. પણ હાર્દિકના આ ટ્વીટને કારણે દલિતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમણે હાર્દિક વિરુદ્ધ એક મેમોરેન્ડમ તૈયાર કરીને તેમની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરવા બદલ જિલ્લા કલેક્ટરને અરજી આપી છે.મેવાણી અને હાર્દિકની મિત્રતા ગુજરાતની ચૂંટણી સમયે વધુ ગાઢ બની હતી. હાર્દિકે જિજ્ઞેશના ચૂંટણી લડવાના નિર્ણયને વધાવી લીધો હતો. સેક્સ ટેપ મુદ્દે હાર્દિક સકંજામાં આવ્યો ત્યારે જિજ્ઞેશે પણ હાર્દિકને સપોર્ટ આપ્યો હતો.જમીનના મુદ્દે સક્રિય દલિત ચળવળકાર કનુ સુમરા જણાવે છે, પાંચ દલિત પરિવાર દેત્રોજમાં મામલતદારની ઑફિસ સામે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા અને તેમના ઉપવાસ 12 દિવસ ચાલ્યા હતા. દલિતોના પ્રશ્નો ઉકેલવાને બદલે હાર્દિક તેની કોમના લોકો સાથે બેઠો. 2013માં અડધા વીઘાની આ જમીન દલિતોને આપવાનું વચન આપવામાં આવ્યું હતુ. તેમને ભાગપુરા ગામમાંથી નીકળી જવાની ફરજ પડાઈ ત્યારે આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે દલિતોને અસમાજિક તત્વો કહ્યા. અમે જ્યારે તેની સામે વિરોધ કરવાનું કહ્યું ત્યારે તેણે આવા શબ્દો વાપરવા અંગે માફી પણ માંગી લીધી.દલિતોએ એક વીઘા ખેતીની જમીનને નોન-એગ્રિકલ્ચરલ લેન્ડમાં તબદીલ કરવા પર સંમતિ આપી એટલે મુદ્દો ઉકેલાઈ ગયો હતો. સરકારે વચન આપ્યું છે કે જમીન પર ઘર બાંધવાનો ખર્ચો સરકાર ભોગવશે.જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું, અમુક મુદ્દે અમારા મતભેદ હોય તો પણ અમે ભાજપ વિરુદ્ધ મજબૂત થવા હાથ મિલાવી લઈશું. બીજી હું તેના વિષે મારા અલગ વિચારો ધરાવુ છું અને તેને પણ મારી સાથે અસહમત થવાનો હક છે.”

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ