Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂપેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, નિતીન પટેલની નારાજગી વિધાનસભામાં સરકારને ભારે પડે તેવી ચર્ચા

ભૂપેન્દ્રસિંહ
Webdunia
શનિવાર, 30 ડિસેમ્બર 2017 (13:33 IST)
કમુરતામાં કોઇ શુભ કાર્યો થતાં નથી. ખાતાની ફાળવણીમાં ખેંચતાણ થતાં ભાજપમાં ડખા થયાં છે. મંત્રીમંડળમાં સમાવેશ ન કરાતાં ધારાસભ્યોએ રાજીનામાની ય ચિમકી આપવા માંડી છે. આ બધુય જોતાં એવી ચર્ચા ચાલી રહી છેકે, કમુરતામાં શપથવિધી થતાં ભાજપને આ વખતે ફળશે કે કેમ તે સવાલ છે. ૧૬મી ડિસેમ્બરથી કમુરતા શરૃ થયા છે.ખાતાની ફાળવણીએ ભાજપમાં અદરોઅંદર અસંતોષ ભભૂકી રહ્યો છે તેવો સંદેશો વહેતો કર્યો છે જેથી ખુદ ભાજપના જ કાર્યકરો હવે કમુરતાને જવાબદાર ઠેરવી રહ્યાં છે.ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,નિતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા પસંદગીના ખાતા ન મળતાં અંદરખાને નારાજ છે. આ ત્રણેય મંત્રીઓની નારાજગી ભાજપ સરકારને વિધાનસભાના સત્ર વખતે ભારે પડી શકે છે. કોંગ્રેસ જયારે પણ ભાજપ સરકારને ઘેરે ત્યારે આ મંત્રીઓ ભાજપના બચાવમાં ઉતર છે. આ વખતે અલ્પેશ ઠાકોર,જીજ્ઞેશ મેવાણી,પરેશ ધાનાણી જેવા યુવા અને આક્રમક કોંગ્રેસી ધારાસભ્યો ચૂંટાયા છે જેના પગલે વિધાનસભામાં વિપક્ષનો લડાયક મૂડ જોવા મળશે. હવે જો કોંગ્રેસ સરકારને ઘેરશે અને આ મંત્રીઓ કુણુ વલણ અપવાવશે તો,ભાજપની મુશ્કેલી વધી શકે છે.ઉલ્લેખનીય છેકે, આ વખતે કોંગ્રેસનુ સંખ્યાબળ પણ વધ્યુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

વધુ જુઓ..

નવીનતમ

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

આગળનો લેખ
Show comments