Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂપેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, નિતીન પટેલની નારાજગી વિધાનસભામાં સરકારને ભારે પડે તેવી ચર્ચા

Webdunia
શનિવાર, 30 ડિસેમ્બર 2017 (13:33 IST)
કમુરતામાં કોઇ શુભ કાર્યો થતાં નથી. ખાતાની ફાળવણીમાં ખેંચતાણ થતાં ભાજપમાં ડખા થયાં છે. મંત્રીમંડળમાં સમાવેશ ન કરાતાં ધારાસભ્યોએ રાજીનામાની ય ચિમકી આપવા માંડી છે. આ બધુય જોતાં એવી ચર્ચા ચાલી રહી છેકે, કમુરતામાં શપથવિધી થતાં ભાજપને આ વખતે ફળશે કે કેમ તે સવાલ છે. ૧૬મી ડિસેમ્બરથી કમુરતા શરૃ થયા છે.ખાતાની ફાળવણીએ ભાજપમાં અદરોઅંદર અસંતોષ ભભૂકી રહ્યો છે તેવો સંદેશો વહેતો કર્યો છે જેથી ખુદ ભાજપના જ કાર્યકરો હવે કમુરતાને જવાબદાર ઠેરવી રહ્યાં છે.ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,નિતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા પસંદગીના ખાતા ન મળતાં અંદરખાને નારાજ છે. આ ત્રણેય મંત્રીઓની નારાજગી ભાજપ સરકારને વિધાનસભાના સત્ર વખતે ભારે પડી શકે છે. કોંગ્રેસ જયારે પણ ભાજપ સરકારને ઘેરે ત્યારે આ મંત્રીઓ ભાજપના બચાવમાં ઉતર છે. આ વખતે અલ્પેશ ઠાકોર,જીજ્ઞેશ મેવાણી,પરેશ ધાનાણી જેવા યુવા અને આક્રમક કોંગ્રેસી ધારાસભ્યો ચૂંટાયા છે જેના પગલે વિધાનસભામાં વિપક્ષનો લડાયક મૂડ જોવા મળશે. હવે જો કોંગ્રેસ સરકારને ઘેરશે અને આ મંત્રીઓ કુણુ વલણ અપવાવશે તો,ભાજપની મુશ્કેલી વધી શકે છે.ઉલ્લેખનીય છેકે, આ વખતે કોંગ્રેસનુ સંખ્યાબળ પણ વધ્યુ છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments