Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇસરના 13 નવા શંકાસ્પદ કેસો નોંધાયા, પાંચનાં મોત

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2024 (11:23 IST)
Chandipura virus- ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી હતી કે રાજ્યમાં રવિવારે શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના 13 કેસો નોંધાયા હતા, જ્યારે શંકાસ્પદ વાઇસરને કારણે પાંચ લોકોના મોત થયા હતા.
 
ઇકોનૉમિક ટાઇમ્સ અખબાર અનુસાર સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે, આ 13 નવા કેસો સાથે રાજ્યમાં ચાંદીપુરના કુલ કેસોની સંખ્યા 84 પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 32 સુધી પહોંચી ગયો.
 
રવિવારે નોંધાયેલા 13 નવા શંકાસ્પદ કેસો પૈકી બે કેસ અમદાવાદ, અરવલ્લી અને બનાસકાંઠામાં બે-બે કેસો નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, વડોદરા અને રાજકોટમાં એક-એક નવા કેસો નોંધાયા છે.
 
ગુજરાત સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસને કારણે બનાસકાંઠામાં બે અને મહિસાગર, ખેડા અને વડોદરમાં એક-એક મૃત્યુ નોંધાયા હતા.
 
પુણેસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલોજીએ શનિવારે ગુજરાતમાં ચાંદીપુરાના નવ કેસોની પુષ્ટિ કરી હતી.
 
સ્વાસ્થ્ય વિભાગે નિવેદનમાં જણાવ્યું કે સ્વાસ્થ્ય વિભાગની ટીમોએ 19 હજાર ઘરોની આસપાસ સર્વે કર્યો હતો અને અસરગ્રસ્ત વિસ્તારોના એક લાખ 16 હજાર ઘરોમાં દવા છાંટવામાં આવી છે.
 
સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે રેપિડ રિસ્પૉન્સ ટીમ દરેક કેસને તપાસી રહી છે અને લોકોને વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kolkata Blast: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ, કચરો વીણનારો થયો ઘાયલ

મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની 17મી સપ્ટેમ્બરની હડતાલ હાલ મોકુફ પૂરતો સ્થગિત

સરદાર સરોવર બાંધ ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર, ભરૂચ ગામમાં એલર્ટ

Suicide or Murder - કુવામાં મળી એક જ પરિવારના 4 લોકોની લાશ, સુસાઈડ કે મર્ડર... સસ્પેંસ કાયમ

પાકના ભાવથી લઈને કામકાજ સુધી ખેડૂતોની થઈ ચાંદી, મોદી સરકારે લીધા આ મોટા નિર્ણયો

આગળનો લેખ
Show comments