Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઊપલેટાની આગની ઘટના અંગે સીએમ રૂપાણીએ શોક વ્યક્ત કર્યો

Webdunia
શનિવાર, 13 જાન્યુઆરી 2018 (13:05 IST)
રાજકોટના ઉપલેટાના પ્રાંસલામાં કાળજુ કંપાવે તેવી ઘટના બની છે. રાજકોટના ઊપલેટામાં રાષ્ટ્રકથા શિબિરમાં મોડી રાત્રે લાગેલીને આગને કારણે 3 વિદ્યાર્થીઓના મોત થયા છે. સ્વામી ધર્મબંધુજીની ચાલતી શિબિરમાં સર્જાયેલી કરૂણાંતિકાથી ભારે શોક વ્યાપી ગયો છે. જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. આ ઘટના અંગે શિબિરના સ્વામી ધર્મબંધુજીએ પણ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, અમારા માટે આ બહુ જ દુખદ ઘટના છે. પરંતુ અમને અફસોસ થાય છે કે, અમે 3 વિદ્યાર્નીઓને બચાવવા નિષ્ફળ રહ્યા. આ ઘટનાને પગલે ઊપલેટાના ઘારાસભ્ય લલિત વસોયાએ પણ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓની મુલાકાત લીધી હતી. સીએમ વિજય રૂપાણીએ ટ્વિટમા દુખ વ્યક્ત કરતા કહ્યું કે, પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબીરમાં લાગેલી આગના કારણે ખુબજ દુઃખની લાગણી અનુભવું છું. રાજ્યસરકાર અને વહીવટીતંત્રએ સતર્ક રહીને પરિસ્થિતિને કાબુ હેઠળ લઇ લીધી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. શિબિરમાં વિદ્યાર્થીનીઓના રહેવાના ટેન્ટમાં જ આગ લાગી હતી. જેમાં 15 જેટલી વિદ્યાર્થીનીઓ ઘાયલ થયા છે. આગમાં દાઝી ગયેલી પાંચ યુવતીઓને રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ વિદ્યાર્થીનીઓની હાલત વધુ ગંભીર હોવાથી તેમને ઉપલેટાથી રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે. મૃત્યુ પામનાર વિદ્યાર્થીનીઓ જસદણ, મોરબી અને સાયલાની હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં એક વિદ્યાર્થિની પોતાનો સામાન લેવા જતાં આગને ભેટી હતી.

સંબંધિત સમાચાર

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments