Dharma Sangrah

અમદાવાદ-વારાણસીનું એરફેર ચાર ગણું વધીને રૃ. ૧૧ હજારે પહોંચ્યું

Webdunia
શનિવાર, 13 જાન્યુઆરી 2018 (12:59 IST)
આસ્થાનું પર્વ મકરસંક્રાતિ ૧૪ જાન્યુઆરીએ રવિવારે ઉજવાશે. આ પર્વમાં ગંગાસ્નાનું પણ ખૂબ જ મહાત્મ્ય છે, જેના પગલે અમદાવાદ-વારાણસીના વન-વે એરફેરમાં ચાર ગણો વધારો થતાં તે રૃપિયા ૧૧ હજાર સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ-વારાણસીનું વન-વે એરફેર રૃ. ૩૫૦૦ની આસપાસ હોય છે. જેની સરખામણીએ શુક્રવારે રાત સુધીમાં આ એરફેર રૃ. ૧૦૮૦૦ સુધી પહોંચી ગયું છે. આમ, મકરસંક્રાતિ વખતે છેલ્લી ઘડીએ વારાણસીમાં ગંગાસ્નાનનું આયોજન થયું હોય તો ચાર ગણું એરફેર ચૂકવવું પડી શકે છે. આ ઉપરાંત ૧૪ જાન્યુઆરીએ તામિલનાડુમાં પોંગલનું પર્વ ઉજવાય છે. જેના કારણે ૧૩ જાન્યુઆરી માટે અમદાવાદ-ચેન્નાઇનું એરફેર રૃ. ૮૭૦૦ થી રૃ. ૧૦૬૦૦ વચ્ચે છે. સામાન્ય દિવસોમાં આ એરફેર રૃ. ૩૫૦૦થી રૃ. ૪ હજાર હોય છે. મકર સંક્રાતિએ પશ્ચિમ બંગાળમાં આવેલા ગંગાસાગરમાં સ્નાનનું મહત્વ છે. જેના કારણે ૧૩ જાન્યુઆરીએ અમદાવાદ-કોલકાતાનું એરફેર રૃ. ૯૫૦૦ સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં આ એરફેર રૃ. ૩૭૦૦ની આસપાસ હોય છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Chocolate Day 2026 Shayari: આ રોમાંટિક અને સુંદર સંદેશા દ્વારા મોકલો તમારા પાર્ટનરને ચોકલેટ ડે ની મીઠાસ

હાથ લગાવતા જ મુઠ્ઠીમાં આવી જાય છે વાળનો ગુચ્છો ? તો અજમાવો આ રૂટીન હેયર ફૉલની સમસ્યા થોડાક જ દિવસમાં થશે દૂર

સહજાનંદ સ્વામી/સ્વામિનારાયણ ભગવાન : ધર્મ, સંયમ અને સમાજસુધારાનો પ્રકાશસ્તંભ

Rose Day 2026 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ

ઠંડું દૂધ પીવાથી શું થાય છે ? જાણો ઠંડુ દૂધ પીવાથી તમારી હેલ્થને ફાયદો થાય છે કે નુકશાન ?

વધુ જુઓ..

નવીનતમ

Ghooskhor Pandit Controversy: રિલીઝ પહેલાં જ વિવાદમાં ફસાઈ મનોજ વાજપેયીની વેબ સિરીઝ, નામને લઈને બબાલ, FIR નોંધાઈ

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ટીઝર પહેલા Dhurandhar 2 નુ પોસ્ટર થયુ જાહેર, Toxic ને ટક્કર આપવા માટે 5 ભાષાઓમાં થશે રિલીઝ

આગળનો લેખ
Show comments