Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વાયરસના લીધે ગુજરાતના મંદિરોની આવકમાં 90%ના ઘટાડો

Webdunia
ગુરુવાર, 23 જુલાઈ 2020 (09:42 IST)
કોરોના કાળ અને દેશવ્યાપી લોકડાઉન વચ્ચે ફક્ત સામાન્ય વ્યક્તિ જ નહી, પરંતુ દેવસ્થાનોની આવક પર સંકટ આવી ગયું છે. કોરોનાના સંક્રમણ વચ્ચે ગુજરાતના તમામ મોટા દેવસ્થાનોની કમાણીના આંકડા સામે આવ્યા તો દર્શનાર્થીઓ દ્વારા મળનાર પૈસામાં ઘટાડો જોવા મળ્યો. ભલે ગુજરાતના તમામ મંદિરો અનલોક-2 બાદ ખુલી ગયા હોય, પરંતુ સાચી વાત એ છે કે આ મંદિરોમાં હજુ શ્રદ્ધાળુંઓએ આવવાનું શરૂ કર્યું નથી. 
 
ગુજરાત સહિત આખા દેશમાં 23 માર્ચથી લગાવવામાં આવેલા લોકડાઉન બાદ મંદિરોને બંધ કરવામાં આવ્યા હતા. ગુજરાતના દેવસ્થાનોને હવે 8 જૂનથી ફરી ખોલવામાં આવ્યા છે. મંદિરોમાં દર્શન માટે ઓનલાઇન એપોઇમેન્ટ લીધા બાદ પ્રવેશ આપવામાં આવે છે. જોકે કોરોનાકાળમાં ટ્રેનો બંધ હોવાના કારણે અને સંક્રમણના ડરથી બીજા રાજ્યોના લોકો પણ દર્શન માટે આવી શકતા નથી. 
 
શ્રાવણમાં પણ સૂના બન્યા સોમનાથ દાદા
ગુજરાતના જે સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનામાં ભારે ભીડ જામતી હતી, ત્યાં હવે મર્યાદિત શ્રદ્ધાળુ આવી રહ્યા છે. આ ઉપરાંત મંદિરોને દર મહિને 3-4 કરોડ રૂપિયાની આવક થતી તેના બદલે હવે ફક્ત 15-20 લાખ મળી રહ્યા છે. સોમનાથ મંદિરમાં લગભગ 650 કર્મચારી છે, જેમન વેતન પર દર મહિને લગભગ 1 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. 
 
અંબાજી મંદિર અને દ્વારકાધીશ મંદિરની આવક ઘટી
આ ઉપરાંત ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ પર્યટકોની સંખ્યા ઘટી છે. એક જમાનામાં જે અંબાજી મંદિરમાં દર મહિને 5 કરોડની આવક થતી હતી,  તે હવે 30 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઇ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં પન દર મહિને 1 કરોડની આવક થતી હતી. તે હવે ઘટીને 15 લાખ રૂપિયાની આસપાસ આવી ગઇ છે. કોરોનાની સ્થિતિ ક્યારે કાબૂમાં આવશે તે એકદમ અનિશ્વિત છે, એવામાં માનવામાં આવી રહ્યું છે કે મંદિરોમાં એકવાર ફરીથી લોકોનું આવવાનું શરૂ થતાં તેમની આવક ફરીથી વધશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments