Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર અનામત આંદોલનમાં નોંધાયેલા ૫૦૦ કેસોમાંથી 55 પરત ખેંચાયા

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (13:20 IST)
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગુજરાતમાં થયેલા તોફાનોમાં પાટીદારો સામે નોધાયેલા કેસો પરત ખેંચવા માટે સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી. જેમાં કુલ ૫૦૦ જેટલા કેસ દાખલ થયા હતા જે પૈકી માત્ર ૫૫ કેસો પાછા ખેંચાયા હોવાની વિગતોનું લિસ્ટ સોશિયલ મિડિયામાં ફરતુ થયું છે. જો કે ઉત્તર ગુજરાતમાંથી વધુ કેસો પાછા ખેચાયા હોવાનું લિસ્ટમાં દર્શાવાયું છે.

પાટીદાર અનામત આંદોલનની ગત તા. ૨૬ ઓગષ્ટ ૨૦૧૫ના રોજ અમદાવાદ જીએમડીસી ખાતે જાહેર સભા યોજાઇ હતી જેમાં સાંજે અનામત આંદોલનના પાસના નેતા હાર્દિક પટેલની પોલીસે અચનાક ધરપકડ કરતાં ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા જેમાં ઠેર ઠેર આગ ચંપી અને તોડફોડ થઇ હતી. આ તોફાન દરમિયાન ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં પાટીદારો પર પોલીસ દમન ગુજાર્યું હોવાના આક્ષેપો થયા હતા. આ આંદોલનમાં ૧૪ જેટલા પાટીદાર યુવાનોના મોત નિપજ્યા હતા. સોશિયલ મિડિયામાં ફરતી થયેલી વિગતો મુજબ પોલીસે પરત ખેંચેલા કેસોમાં મહેસાણા જિલ્લામાં વિજાપુર, બહુચરાજી અને ખેરાલુ સહિતના પોલીસ સ્ટેશનમાંથી કુલ ૨૭ કેસો પરત ખેચાયા હતા અને સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, તલોદ, ગાભોઇ ઇડર અને પ્રાંતિજ સહિતના પોલીસ સ્ટેશનોમાંથી કુલ ૯ કેસો પાછા ખેંચાયા હોવાની વિગતો ફરતી થઇ છે. આ કેસોમા ખાસ કરીને મોટા ભાગના સામાન્ય મારામારી, રાયોટિંગ અને જાહેરનામોના ભંગની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments