Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર અનામત આંદોલનમાં નોંધાયેલા ૫૦૦ કેસોમાંથી 55 પરત ખેંચાયા

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (13:20 IST)
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગુજરાતમાં થયેલા તોફાનોમાં પાટીદારો સામે નોધાયેલા કેસો પરત ખેંચવા માટે સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી. જેમાં કુલ ૫૦૦ જેટલા કેસ દાખલ થયા હતા જે પૈકી માત્ર ૫૫ કેસો પાછા ખેંચાયા હોવાની વિગતોનું લિસ્ટ સોશિયલ મિડિયામાં ફરતુ થયું છે. જો કે ઉત્તર ગુજરાતમાંથી વધુ કેસો પાછા ખેચાયા હોવાનું લિસ્ટમાં દર્શાવાયું છે.

પાટીદાર અનામત આંદોલનની ગત તા. ૨૬ ઓગષ્ટ ૨૦૧૫ના રોજ અમદાવાદ જીએમડીસી ખાતે જાહેર સભા યોજાઇ હતી જેમાં સાંજે અનામત આંદોલનના પાસના નેતા હાર્દિક પટેલની પોલીસે અચનાક ધરપકડ કરતાં ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા જેમાં ઠેર ઠેર આગ ચંપી અને તોડફોડ થઇ હતી. આ તોફાન દરમિયાન ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં પાટીદારો પર પોલીસ દમન ગુજાર્યું હોવાના આક્ષેપો થયા હતા. આ આંદોલનમાં ૧૪ જેટલા પાટીદાર યુવાનોના મોત નિપજ્યા હતા. સોશિયલ મિડિયામાં ફરતી થયેલી વિગતો મુજબ પોલીસે પરત ખેંચેલા કેસોમાં મહેસાણા જિલ્લામાં વિજાપુર, બહુચરાજી અને ખેરાલુ સહિતના પોલીસ સ્ટેશનમાંથી કુલ ૨૭ કેસો પરત ખેચાયા હતા અને સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, તલોદ, ગાભોઇ ઇડર અને પ્રાંતિજ સહિતના પોલીસ સ્ટેશનોમાંથી કુલ ૯ કેસો પાછા ખેંચાયા હોવાની વિગતો ફરતી થઇ છે. આ કેસોમા ખાસ કરીને મોટા ભાગના સામાન્ય મારામારી, રાયોટિંગ અને જાહેરનામોના ભંગની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments