Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં કોરોનામાંથી સ્વસ્થ થનારાઓનું પ્રમાણ 16 ટકા, રાજ્યમાં માત્ર 9 ટકા

Webdunia
શુક્રવાર, 3 એપ્રિલ 2020 (14:08 IST)
અમદાવાદમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધી 5 લોકો સાજા થઈ જતાં તેમને રજા આપી દેવાઈ છે. એક મહિલા અને એક પુરુષની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. આ બંને વ્યક્તિ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમને વેન્ટિલેટર પર રખાયા છે. ગુરુવારે શહેરમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ સિવિલમાં બુધવારે મોડી રાત્રે દાખલ કરાયેલા દસ્ક્રોઈના સિંગરવા ગામના  11 માસના બાળકનું મૃત્યુ થયું હતું. કોરોના શંકાસ્પદ લાગતા તેના સેમ્પલ લેવાયા હતા. જો કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ગુરુવારે 13 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બીજી તરફ અમદાવાદ માટે સારા સમાચાર એ છે કે, કુલ 31 પોઝિટિવ કેસમાંથી પાંચ લોકો સાજા થઈ ગયા છે જેમને રજા આપી દેવાઈ છે. રાજ્યની તુલનામાં ટકાવારીની દૃષ્ટિએ આ સંખ્યા બે ગણી વધુ છે. અમદાવાદને બાદ કરતાં રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 56 છે જેમાંથી 5 દર્દી સાજા થતાં રજા અપાઈ છે. 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments