Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Webdunia
સોમવાર, 15 જૂન 2020 (13:37 IST)
કોરોના મહામારી વચ્ચે  ગુજરાતના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે આશરે 8.13ની આસપાસ આવેલા ભૂકંપના ઝટકા અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનુભવાયા હતા.  માહિતી મુજબ સાંજે ગુજરાતના કેટલાક ભાગોમા મૂશળાધાર વરસાદ પણ માઝા મૂકી હતી, એવામાં રાત્રે આવેલા 5.5ની તીવ્રતાના ભૂકંપે લોકોમાં ભય ફેલાવી દીધો છે. આ સિવાય રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  અમદાવાદમાં આવેલા ભૂકંપના આંચકાથી મોટા ભાગની પબ્લિક રોડ પર આવી ગઇ હતી. ભૂકંપનુ એપિસેન્ટર કચ્છનુ ભૂજ હોવાનુ માનવામાં આવે છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં આવેલા ભૂકંપ ના આંચકાઓ ને પગલે રાજકોટ કચ્છ અને પાટણ જીલ્લા ના કલેકટરો સાથે  ટેલિફોન તાત્કાલિક વાતચીત કરીને ત્યાંની પરિસ્થતિ ની જાણકારી મેળવી હતી. તેમણે આજે રાત્રે 8ને 13 મિનિટે રાજ્યમાં ભૂકંપ ના આંચકાઓ આવ્યા અંગેની જાણકારી મળતાં તુરતજ આ જિલ્લા ના કલેકટરો ને સતર્ક રહેવા ની તાકીદ કરી હતી અને આ આંચકાઓ ને કારણે કોઈ નાનું મોટું નુક્સાન થયું હોય તેની વિગતો પણ મેળવવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી એ આ જિલ્લાઓ માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ના કંટ્રોલ રૂમ પણ વધુ સઘન રીતે કાર્યરત  કરી દેવા સૂચન કર્યું હતું

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments