Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી દ્વારકાધીશના દર્શન કરી શકાશે, ભક્તો આરતીમાં ભાગ લઇ શકશે

Webdunia
સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (11:05 IST)
કોરોનાના કહેરને લઈને જાહેર કરાયેલા લોકડાઉનના કારણે મંદિરો બંધ કરાયા હતા. ત્યારબાદ અનલોક દ્વારા મંદિરો શરૂ કરવામાં આવ્યા હતા તહેવારોમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં ફરી એકવાર મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે કે આજથી જગતના નાથ દ્વારકાધીશ મંદિરના દ્વારા ફરી એકવાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. 
 
આજથી ભગવાન દ્વારકાધીશના આરતી સમયે ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિરમાં આજથી ઓનલાઈન દર્શન સુવિધા શરૂ કરાશે. દ્વારકામાં ભક્તોએ આજે વહેલી સવારે દ્વારકાધીશ મંદિરમાં મંગલા આરતીના દર્શનનો સ્થાનિકોએ તેમ જ યાત્રિકોએ લાભ લીધો છે. કલેક્ટર દ્વારા મિટિંગનું આયોજન કરી ઓચિંતો ભાવિકો માટે આ નિર્ણય લેવાયો છે.
 
લોકડાઉન બાદ પ્રથમ વખત ભક્તોએ ભગવાન દ્વારકાધીશની આરતીમાં પ્રવેશ મેળવી દર્શનનો લાભ લીધો છે. ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે મંગલા આરતીના દર્શન કર્યા છે. પરંતુ ભાવિકોએ દ્વારકાધીશની આરતી સમયે વધુ સમય અંદર ઉભા નહીં રહી શકે. ચાલુ આરતીમાં દર્શન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભાવિકો બહાર નીકળતા રહેશે. કોરોના કાળ ચાલતો હોવાથી લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
 
આજે દ્વારકા મંદિરમાં સવારે 6:30 થી 10:20 અને સાંજે 7:45 થી 8:30 વાગે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંભક્તો પણ ભાગ લઇ શકશે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિરમાં આજથી ઓન લાઈન દર્શન સુવિધા શરૂ કરાશે. દેવસ્થાન સમિતિ દ્વારા વેબસાઈડ અને યુ ટ્યુબ મારફત શ્રદ્ધાળુઓ માટે દ્વારકાધીશના દર્શન કરી શકશે. Dwarkadhish.org ઉપર લાઈવ દર્શન કરી શકાશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments