Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાનુભાઈના મોતથી ભડક્યા દલિત, લાશ લેવાનો કર્યો ઈંકાર, હાઈવે પર ચક્કાજામ

Webdunia
શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (16:45 IST)
દલિતોને સરકાર તરફથી આપવામાં આવેલ જમીનના કબજાની માંગને લઈને આત્મદાહ કરનારા દલિત સામાજીક કાર્યકર્તા ભાનુભાઈ વણકરનું મોડી રાત્રે મોત થતા ભડકેલા સમાજે રાજ્યમાં અનેક સ્થાન પર પ્રદર્શન કર્યુ. હાઈવે પર જુદા જુદા સ્થાન પર ચક્કાજામ કરી દીધો.  નેતા વિપક્ષ પરેશ ધાનાની, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે સરકારને દલિત વિરોધી બતાવતા આડે હાથે લીધા તો બીજી બાજુ પીડિત પરિવારે ન્યાય ન મળવા સુધી તેમનુ શબ લેવાની ના પાડી દીધી. 
 
અત્ર એ ઉલ્લેખનીય છે કે  જમીન વિવાદને લઇને પાટણ કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરનારા ભાનુભાઈ વણકરનું અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
 
ઘટનાને પગલે અલગ અલગ સંગઠનોએ આજે ઉંઝા, પાટણ અને શંખેશ્નર બંધનું એલાન આપ્યું હતું. કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બે દિવસ પહેલા ભાનુભાઈ વણકરે પાટણ કલેક્ટર કચેરી બહાર કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમને સારવાર માટે મહેસાણા અને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં અમદાવાદમાં એપોલો હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments