Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાંથી આ વર્ષે ધો. ૧૦-૧૨ના ૧૭.૧૪ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Webdunia
બુધવાર, 7 માર્ચ 2018 (15:22 IST)
ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ-૧૨ની સામાન્ય પ્રવાહ, વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા ૧૨ માર્ચથી યોજાશે અને તે ૨૮ માર્ચના પૂરી થશે. ગુજરાતમાંથી ૧૭,૧૪,૯૭૯ આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં આ વખતે ઝોનની સંખ્યા ૧૩૫ અને કેન્દ્રની સંખ્યા ૧૫૪૮ છે. ધોરણ-૧૦ની પરીક્ષા ૧૨ થી ૨૩ માર્ચ દરમિયાન સવારે ૧૦ થી બપોરે ૧:૨૦ દરમિયાન યોજાશે. આ પરીક્ષા માટે કુલ ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા ૧૨ થી ૨૨ માર્ચ દરમિયાન બપોરે ૩ થી ૬:૩૦માં યોજાશે. જેના માટે કુલ ૧,૩૪,૬૭૧ વિદ્યાર્થીઓ છે. ૧૨ થી ૨૮ માર્ચ દરમિયાન સવારે ૧૦:૩૦થી બપોરે ૧:૪૫માં યોજાનારી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓ કોઇ અગવડ વિના પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષાઓ માટે કુલ ૧૩૫ ઝોનની વ્યવસ્થા કરાઇ છે. ૧૫૪૮ કેન્દ્રના ૫૪૮૩ બિલ્ડિંગમાં આ પરીક્ષા ૬૦૩૩૭ વર્ગખંડમાં લેવાશે. તમામ વર્ગખંડ પર સીસીટીવી/ટેબ્લેટ દ્વારા વોચ રખાશે. ' અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૫૧૧૪૯, અમદાવાદ શહેરમાંથી ૬૯૩૯૦ એમ કુલ ૧,૨૦,૫૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાં વિજ્ઞાાન પ્રવાહમાં ૭૧૧૩-શહેરમાં ૧૧૮૦, સામાન્ય પ્રવાહમાં ૨૧૮૫૯-શહેરમાં ૩૨૯૭૦ વિદ્યાર્થીઓ છે. ધોરણ ૧૦માં ૧૫૨, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૯, ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ૩૧ પરીક્ષા સ્થળો સીસીટીવી કેમેરાની સગવડ ધરાવે છે તેમ અમદાવાદ જિલ્લા ડીઇઓએ એક યાદીમાં જણાવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments