Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ખતમ થઈ ગયેલી કોંગ્રેસ હવે વિધાનસભામાં સરકાર સામે રણશિંગુ ફૂંકશે

Webdunia
શુક્રવાર, 31 મે 2019 (17:46 IST)
ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો હાર્યા બાદ પ્રદેશ કોંગ્રેસે હારનું મનોમંથન કરવા તેમજ હવે શું કરવું તે સંદર્ભે બુધવારે કો-ઓડ્રિનેશન કમિટીની મિટિંગ બોલાવી હતી, આ મિટિંગ રાતે 12 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં હારેલા ઉમેદવારોએ પોતાની વ્યથા ઠાલવી હતી. નવાઈની વાત એ છે કે, આ મિટિંગમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ઉપસ્થિત રહ્યા નહોતા. હવે પહેલી જુલાઈએ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો તેમજ સંગઠનના મહત્ત્વના આગેવાનોની સંયુક્ત મિટિંગ બોલાવવાનું નક્કી થયું છે, જે વિધાનસભાના મળનારા સત્રમાં ફાયર સેફ્ટી સહિતના મુદ્દે સરકારને ભીંસમાં લેવા સહિતના મુદ્દે રણનીતિ ઘડશે. પહેલી જૂને ધારાસભ્યોની મિટિંગ બોલાવાઈ છે તેમાં લોકસભાના પરિણામ અંગે વિધાનસભા બેઠક દીઠ પણ ચર્ચા કરાશે. સાથે જ બજેટ સત્રમાં ફાયર સેફ્ટી સહિતના અન્ય કયા કયા મુદ્દે સરકારને ઘેરવી તેની ચર્ચા થશે. લોકસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે હાર થઈ અને જે પરિણામો આવ્યા તે અંગે મિટિંગમાં શંકા વ્યક્ત કરાઈ હતી. કોંગ્રેસના સંગઠનમાં ખૂટતી કડીઓ સહિતની બાબતોએ પણ ઉમેદવારોએ વ્યથા ઠાલવી હતી. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અત્યારથી જ તૈયારી કરવા મુદ્દે ચર્ચા થઈ છે.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments