rashifal-2026

અમદાવાદ પોલીસનું જાહેરનામું પાંચ ફૂટથી ઊંચી પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ

Webdunia
સોમવાર, 26 ઑગસ્ટ 2019 (12:19 IST)
ગણેશોત્સવને હવે જ્યારે ગણતરીનાં દિવસ બાકી છે અને ઠેર ઠેર ગણેશજીની મૂર્તિઓ બનીને તૈયાર થઇ ગઇ છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા મહત્ત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામું ૧૨ સપ્ટેમ્બર ગણેશ વિસર્જન અંગે બાર પાડવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યુ હતુ જેમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓ બેઠક સાથે પાંચ ફૂટથી વધુ ઊંચી ન હોવી જોઇએ. અને માટીની મૂર્તિનું જ ભક્તએ સ્થાપન કરવાની સૂચના આપવામાં આવી હતી. અને માટી મૂર્તિ પણ નવ ફૂટથી ઊંચી ન હોવી જોઇએ. આ જાહેરનામાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવનાર અને વેપારીઓએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે હવે છેલ્લી ઘડીએ જાહેરનામું બહાર પાડે તો તેમણે શું કરવું, કારણ કે તેમનું આખા વર્ષનું ગુજરાન આ મૂર્તિઓની બનાવટ અને તેનાં વેચાણ પર જ ટકેલું હોય છે. ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ દ્વારા જાહેરનામું આપવા પાછળનું ખાસ કારણ એ છે કે, પીઓપી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળતી નથી. તેમ જ પીઓપીની મૂર્તિ બનાવવામાં કેમિકલયુક્ત કલરનો ઉપયોગ થાય છે જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. આ પહેલી વખત નથી આ પહેલાં પણ ઘણી વખત પીઓપીની મૂર્તિનો ઉપયોગ ન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવી ચુક્યું છે એટલું જ નહીં આ મુદ્દો પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

ભાત સાથે અદ્ભુત સ્વાદનો આનંદ માણો, શિયાળાની ખાસ વટાણાની કઢી બનાવો

Perfume Day 2026: એન્ટિ-વેલેન્ટાઈન વીક દરમિયાન પરફ્યુમ ડે કેમ આવે છે? તેની પાછળનો તર્ક જાણો.

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

આ વખતે હોળી પર મથુરા-વૃંદાવનની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. જાણો કયા સ્થળોએ હોળી અદ્ભુત રીતે ઉજવવામાં આવે છે?

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

આગળનો લેખ
Show comments