Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરુ, કોંગ્રેસ અનેક મુદ્દે સરકારને ઘેરશે, પોલીસ કાફલો તૈનાત

Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2019 (11:58 IST)
આજથી શરૂ થતાં વિધાનસભા સત્રમાં પરીક્ષાઓમાં ગેરરીતિ, ખેડૂતો અને દુષ્કર્મની ઘટનાઓ સહિતના મુદ્દે વિધાનસભાની અંદર અને બહાર બંને બાજુથી સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ છે. પોલીસ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા પોલીસ શનિવારથી એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરમાં આજે વિધાનસભા આસપાસ સહિતના વિસ્તારોમાં 6 એપી, 25 ડીવાયએસપી, 40 પીઆઈ, 125 પીએસઆઈ સહિત 1500 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોસ્ત ગોઠવી દેવાયો છે. વિધાનસભા સત્ર અને ઘેરાવના કાર્યક્રમને લઈને જિલ્લા બહારથી પણ પોલીસ બોલાવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ સાથે બેઠેલા ઉમેદવારો સાથે વિધાનસભાનો ઘેરાવો કરશે. બિનસચિવાલયની પરીક્ષા, DPS, છ હજાર સ્કૂલ બંધ કરવા સહિતના મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરશે વિધાનસભાના સત્રની શરૂઆત થાય તે પહેલા જ કોંગ્રેસ સત્રમાં પક્ષના મુખ્ય નેતાઓ સહિત ધારાસભ્યોની ભૂમિકા નક્કી કરવા માટે બેઠક બોલાવી હતી, ભાજપ તરફથી હજુ સુધી ધારાસભ્યોને કોઇ સૂચના આપવામાં આવી નથી. કોંગ્રેસ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રે બેઠક બોલાવી હતી. બેઠકમાં ખેડૂતો, શિક્ષણ, કમોસમી વરસાદ, મોંઘવારી, બેરોજગારી, મહિલા ઉપરના અત્યાચાર સહિતના મુદ્દે સરકારને ઘેરવાનું નક્કી થયું હતું. રાજ્ય સરકાર તરફથી કોંગ્રેસના આક્રમણને ખાળવા માટે ખાસ મંત્રીઓને જવાબદારી અપાઇ છે, ખાસ કરીને નાયબ મુક્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મંત્રીઓ કોંગ્રેસના આક્રમણ સામે જવાબ આપવા સજ્જ હોય છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments