Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ ગાંધીનગર વચ્ચે એસટીની 40 જેટલી ઈલેક્ટ્રીક બસો દોડશે.

Webdunia
મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (12:17 IST)
અમદાવાદ-ગાંધીનગર જતા આવતા મુસાફરોને વધારે સુવિધા મળે તે હેતુથી ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું નક્કી થયુ છે. આ સંદર્ભે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એસટી બસ સર્વિસમાં 40 ઈ-બસ મુકાશે. હાલ કુલ 80 બસો અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડે છે જે પૈકી 50 ટકા બસો ઇલેક્ટ્રિક થઇ જશે.
ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, ટૂંકા અંતરમાં ઇલેક્ટ્રિક વાહનોનું સંચાલન સારી રીતે થઇ શકે છે જેથી હાલ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઇલેક્ટ્રિક બસનો નિર્ણય લેવાયો છે. આ બસોના ચાર્જિંગ માટે એસટી ડેપોમાં ચાર્જિંગ સ્ટેશન પણ ઊભાં કરાશે. આ જ રીતે ઓલા, ઉબેર અને અન્ય સંચાલકો સાથે બેઠક યોજી તેમને પણ સિટી સર્વિસમાં ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવા જણાવાયું છે.
ટૂંકા અંતરમાં ઇલેક્ટ્રિક વાહનોનું સંચાલન સારી રીતે થાય તે હેતુસર રાજ્ય સરકાર હવે ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા માટેનું માળખું તૈયાર કરવાનું વિચારી રહી છે. ખાનગી ઇલેક્ટ્રિક વાહનો માટે શહેરોમાં અને હાઇવે પર સ્ટેશનો ઊભા કરવાની સાથે બેટરી રિપ્લેસમેન્ટ સહિતની વ્યવસ્થા ઊભી કરાશે.અને આવનજાવન કરતા મુસાફરોને કોઈ તકલીફ પડશે નહી. ટુંક સમયમાં આ સેવા શરૂ થઈ જશે.
 

 
 
 
Attachments area
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments