Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ્વારકા “દિપોત્સવી ઉત્સવ” દરમ્યાન દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે

Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (14:30 IST)
વહીવટદાર દ્વારકાધીશ જગત મંદીર અને પ્રાંત અધિકારી દ્વારકાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દિપાવલી – નૂતન વર્ષ ઉત્સવ અન્વયે તા.૨-૧૧-૨૦૨૧ થી તા.૬-૧૧-૨૦૨૧ દરમિયાન “દિપોત્સવી ઉત્સવ” અંતર્ગત શ્રી દ્વારકાધીશ મંદીર – દ્વારકા દર્શનાર્થીઓ માટે તા.૨જી અને ૩જી નવેમ્બર - ૨૦૨૧ને વાઘબાર તથા ધનતેરશ(રૂપચૌદશ ક્ષય તિથી)ના રોજ શ્રીના દર્શન માટે નિત્યક્રમ મુજબ ખુલ્લુ રહેશે.
 
આ ઉપરાંત તા.૪-૧૧-૨૦૨૧ને ગુરુવારના રોજ દિપાવલીના દિવસે દર્શાનાર્થીઓ માટે શ્રી દ્વારકાધીશ જગત મંદીર શ્રીજીના દર્શન માટે નિત્યક્રમ મુજબ (અનોસર (મંદીર બંધ) બપોરે ૧-૦૦ કલાકે, ઉત્થાપન દર્શન સાંજે ૫-૦૦ કલાકે, હાટડી દર્શન રાત્રે ૮-૦૦ કલાકે તેમજ અનોસર (મંદીર બંધ) રાત્રે ૯-૪૫ કલાકે) રહેશે. જ્યારે તા.૫-૧૧-૨૦૨૧ના રોજ શુક્રવારના દિવસે નૂતન વર્ષ અન્નકુટ ઉત્સવ દરમ્યાન સવારે ૬-૦૦ કલાકે મંગલા આરતી તથા અન્નકુટ દર્શન સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાક સુધી અન્યથા મંદીર નિત્યક્રમ મુજબ ખુલ્લુ રહેશે. 
 
ભાઈબીજને તા.૦૬-૧૧-૨૦૨૧ના રોજ ભાઈબીજના દિવસે સવારે ૭-૦૦ કલાકે મંગલા આરતી બાદ મંદીર નિત્યક્રમ મુજબ દર્શન માટે ખુલ્લુ રહેશે તેમ વધુમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે,  દ્વારકાધીશ જગત મંદીર ખાતે શ્રીજીના દર્શને આવતા દર્શનાર્થીઓએ સરકારશ્રીની કોવિડ – ૧૯ની ગાઈડલાઈનનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments