Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું ધીરેન્દ્ર શાસ્ત્રી કરે છે વશીકરણ? બાગેશ્વર બાબાએ હિપ્નોટાઈઝ કરીને 13 હજાર પડાવ્યા, ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ પોલીસ કમિશ્રરને અરજી

Webdunia
શુક્રવાર, 2 જૂન 2023 (18:59 IST)
બાગેશ્વર બાબાએ હિપ્નોટાઈઝ કરીને 13 હજાર પડાવ્યા, ધીરેન્દ્ર શાસ્ત્રી સામે રાજકોટ પોલીસ કમિશ્રરને અરજી
 
આયોજકોએ બાબા સામેના આરોપો ફગાવ્યા અને આ એક બદનામ કરવાનું કાવતરૂ હોવાનું કહ્યું
 
રાજકોટઃ બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં દિવ્ય દરબાર કરી રહ્યાં છે. તેમનો આજે ત્રીજો દિવસ છે.ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી બાબા બાગેશ્વરના આશ્રયસ્થાને આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તે ઉપરાંત રાજકોટનાં ભાજપનાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી પણ બાબાને મળવા દોડી ગયાં હતાં. બીજી બાજુ બાબા સામે રાજકોટના હેમલ વિઠ્ઠલાણીએ પોલીસ કમિશ્નરને અરજી કરી છે. આ અરજીમાં જામનગરનાં શ્રદ્ધાળુને મંદિર નિર્માણ માટે ફાળો આપવાનું કહી હિપ્નોટાઈઝ કરી 13 હજાર પડાવ્યાનો ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ લગાવવામાં આપ્યો છે.
 
આયોજકોએ કહ્યુ બાબાને બદનામ કરવાનું કાવતરું
આયોજકો તરફથી આરોપોને ફગાવી દેવામાં આવ્યા હતા. અને બાબાને બદનામ કરવાનું એક કાવતરું માત્ર છે તમે કહેવામા આવ્યું હતું. પત્રકારોને સંબોધતા ભક્તિ સ્વામી કહે છે કે 'બાબા બાગેશ્વર એ અમારા સનાતન ધર્મનો સુપર હીરો છે. અને બાબા પર લગાવેલા તમામ આરોપો ખોટા છે. અરજદારે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યુ કે, મારા પર વશીકરણ કરવામાં આવ્યું હોય તેવું મને લાગ્યું હતું અને પૈસા આપ્યા બાદ મને એવું કહેવામા આવ્યું હતું કે દરબાર પત્યા પછી તમને તમારા પૈસા પરત આપી દેવામાં આવશે, જ્યારે હું પૈસા પરત લેવા ગયો હતો તો એમ કહેવામા આવ્યું કે એ તમારી ભૂલ છે કે તમારે પૈસા નહોતા આપવા. તે બાબા વિરુદ્ધ કડક પગલાં ભરાય તેવું ઈચ્છે છે.
 
બાબાએ BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસીય રાજકોટની મુલાકાતે છે. તેમણે BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા.સ્વામિનારાયણ મંદિરમાં હાજર સંતોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. ગત રોજ સાંજે રેસકોર્ષના મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. આ દરમિયાન બાબાએ પ્રવચન આપતા કહ્યું હતું કે બપોરે 2 થી 5 રાજકોટમાં શ્વાન પણ બહાર નીકળતું નથી. મને રાજકોટ ગમી ગયું છે. દુનિયાએ રાજકોટવાસીઓ પાસેથી જીવન જીવતાં શીખવું જોઈએ. બાબાએ દિવ્ય દરબાર ખાતે નારો આપી હુંકાર કર્યો કે ખૂન હમારા ગરમ હૈ ક્યોંકિ હમ ગરમ હૈ પાગલો તમને ગર્વ થવો જોઈએ કે તમે હિન્દુ છો. તમે સનાતની છો.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments