Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘોઘા થી દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ બંધ થઈ ગઈ

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (12:28 IST)
ઘોઘા દહેજ વચ્ચે શરૂ થયેલી રો-રો ફેરી સર્વિસ સપ્ટેમ્બર સુધી ફરીથી એક વાર બંધ થઈ ગઇ છે. સરકારે ઉતાવળમાં 22 ઓક્ટોમ્બર 2017નાં રોજ આ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી. આ મામલે GMBએ દરિયાઈ હવામાન ખરાબ હોવાનું કારણ આપ્યું છે. આ રો-રો ફેરી શરૂ કરવા માટે 25 જાન્યુઆરી 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ખાતમૂહૂર્ત પણ કર્યું હતું. અનેક વખત હવામાનનું બહાનું કાઢીને ફેરી સર્વિસ સમયાંતરે 12 દિવસ માટે બંધ કરવામાં આવતી હતી. પરંતુ તાજેતરમાં GMBએ રો-રો ફેરી સર્વિસનાં સંચાલકોને નોટિસ પાઠવી આ સર્વિસ બંધ કરવા જણાવ્યું છે. તો તાજેતરમાં ભાવનગર આવેલાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાવનગર દહેજ વચ્ચે રો પેક્સ સર્વિસ શરૂ થતી હોવાને કારણે આ ફેરી બંધ કરવામાં આવી છે અને સપ્ટેમ્બરમાં આ ફેરી ફરી શરૂ થશે એમ જણાવ્યું હતું. આ મામલે એવું પણ જાણવા મળ્યું છે કે, ખંભાતનાં અખાતનો દરિયો અત્યંત કરંટવાળો હોવાંથી અને હાલ દરિયો તોફાની હોવાંથી આ સેવા બંધ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments