Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારાયણ સાંઈને પિતા આશારામ સાથે 30 મિનિટ વાત કરવાની કોર્ટે મંજૂરી આપી, આશારામની તબિયત નાદુરસ્ત

નારાયણ સાંઈને પિતા આશારામ સાથે 30 મિનિટ વાત કરવાની કોર્ટે મંજૂરી આપી  આશારામની તબિયત નાદુરસ્ત
Webdunia
શનિવાર, 17 જુલાઈ 2021 (13:02 IST)
નારાયણ સાંઈ છેલ્લા સાડા સાત વર્ષથી સુરતની લાજપોર જેલમાં સજા કાપી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં એક પણ વાર જામીન મળ્યા નથી. જોકે નિયમ પ્રમાણે નારાયણ સાંઈ ફરલો પર બહાર આવી શકે છે પરંતુ તેમાં પણ તેને ગુજરાત ન છોડવાની શરતનું પાલન કરવું પડે ત્યારે નારાયણ સાંઈએ તેના પિતા આશારામની તબિયત લથડતા તેમને મળવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

કોર્ટે હવે નારાયણ સાંઈને આશારામ સાથે જેલમાંથી વીડિયો કોન્ફરન્સ થકી વાતચીત કરવા માટેની પરવાનગી આપી છે જેમાં ઓગસ્ટના પહેલા વિકમાં 2 વીડિયો કોન્ફરન્સ કરાવવા માટે સરકારને આદેશ આપ્યા છે. નારાયણ સાંઈએ કોર્ટમાં રજુઆત કરી હતી કે, આશારામને બીમારીઓ વધતી જાય છે તેમની ઉંમર પણ 84 વર્ષ છે. તેથી તેઓને એમની ચિંતા થાય છે એટલા માટે તેમને મળવા માટેની પરવાનગી કોર્ટ જોડે માંગવામાં આવી હતી. અગાઉ કોર્ટે 3 ઓર્ડર કર્યા હતા તેમાં અવલોકન કર્યું હતું કે, કોરોનાના ફીઝીકલ મુલાકાત માટે મંજૂરી આપવી યોગ્ય નથી. સાથે આશારામને તે દરમિયાન કોરોના પણ થયો હતો. જેથી જોધપુર AIMS હોસ્પિટલમાં તેઓની સારવાર બાદ જેલમાં તેઓ પાછા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવી બીમારી વધી ગઈ છે. તેમજ આશારામની તબિયત સારી ન હોવાથી વીડિયો કોન્ફરન્સ પણ શક્ય નથી.​​​​​​​

સુરત લાજપોર જેલ અને જોધપુર સેન્ટ્રલ જેલમાં બંને માટે વીડિયો કોન્ફરન્સ ઓગસ્ટના પહેલા વિકમાં કરાવવાનું રહેશે. આમાં પણ કોર્ટે કેટલીક શરતો મૂકી છે, જેમાં તેઓ વચ્ચે 2 મુલાકાત થઈ શકશે. જેમાં એક મુલાકાતમાં આશારામ અને નારાયણ સાંઈ એટલે પિતા-પુત્ર જ વાતચીત કરશે અને બીજી મુલાકાતમાં આશારામના આર્યુર્વેદિક ડોક્ટર, આશારામ અને નારાયણ સાંઈ એમ 3 લોકો વાતચીત કરશે. ડોક્ટર આશારામની ટ્રીટમેન્ટ અંગેની માહિતી આપશે. હાલ આશારામની આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલી રહી છે જેથી 2 મુલાકાત પણ મહત્વની રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments