દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસ હવે ખૂબ ઓછા થઈ ગયા છે. 70 દિવસ પછી દેશમાં કોરોના વાયરસના સૌથી ઓછા દૈનિક કેસ દાખલ કરાયા. પણ આ ખતરનાક વાયરસથી થતા દૈનિક મૌતનો આંકડો અત્યારે પણ ચિંતાજનક છે. અત્યારે સમયમાં કોરોના વાયરસના સારવાર માટે દર્દીઓની વાત કરીએ તો તેની સંખ્યા 11 લાખથી ઓછી થઈ ગઈ છે. કોરોનાના દૈનિક કેસમાં ગિરાવટ આવ્યા પછી પણ ઘણા રાજ્યોમાં લૉકડાઉન અને કોરોના કર્ફ્યુને ચાલૂ રખાયુ છે. ગોવા સરકારએ 21 જૂન સુધી રાજ્યમાં કોરોના કર્ફ્યુ ચાલૂ રાખવાની જાહેરાત કરી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 80834 કેસ સામે આવ્યા છે. જ્યારે આ સમયે ત્રણ હજારથી વધારે લોકોની મોત થઈ છે.
દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસ સતત નીચે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 80834 નવા કેસ સામે આવ્યા. જ્યારે 3303 દર્દીઓની મોત થઈ. તેમજ 24 કલાકમાં 1,32,062 દર્દીઓ સાજા થયા અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11 લાખથી ઓછી થઈ ગઈ છે.