Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટેસ્ટ ઈઝ બેસ્ટ’ ના મંત્ર સાથે ટુ-માસ્ક પોલિસીનો અમલ કરવા અનુરોધ

corona vaccine update
Webdunia
રવિવાર, 18 એપ્રિલ 2021 (13:02 IST)
સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં વકરી રહેલા સંક્રમણને નિયંત્રણમાં લાવવા શહેરીજનોને ‘ટુ-માસ્ક પોલિસી’ અપનાવવા અનુરોધ કર્યો હતો. જે અંતર્ગત પ્રથમ નાકની ઉપર માસ્ક વ્યવસ્થિત રીતે પહેરવા જયારે બીજુ 'ઇમ્યુનિટી માસ્ક' એટલે કે ડોક્ટરોની સલાહ પ્રમાણે શરીરના ઈમ્યુનિટી વધારવા માટે વિટામીન ડી, સી અને ઝિંકનું જે પ્રમાણ વધે તેવા પ્રયાસો કરવા પર ભાર મૂકયો હતો.
 
‘ટેસ્ટ ઈઝ બેસ્ટ’ના મંત્ર સાથે શરીરમાં શરદી, ખાંસી, તાવ, માથું દુઃખવું જેવા કોઈ પણ લક્ષણો જોવા મળે પ્રથમ ટેસ્ટ કરવામાં આવે તો દવા વહેલી શરૂ થાય. જેથી તે તત્કાલ ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે. રાજય સરકારની માર્ગદર્શિકાઓનો ચુસ્ત રીતે પાલન કરવા મ્યુ.કમિશનરશ્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે-
૧) લગ્ન સમારંભ કે અંતિમવિધિમાં ૫૦ થી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ છે.
(૨) જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી તેમજ અન્ય કોઈ મેળાવડામાં ભેગા થવાં પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ રહેશે.
(૩) એપ્રિલ અને મે માસ દરમિયાન દરેક ધર્મના તહેવારોની જાહેરમાં ઉજવણી તેમજ જાહેરમાં લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. આ સાથે તમામ તહેવાર આસ્થા સાથે ઘરમાં પરિવાર  સાથે ઉજવવાનો રહેશે.
(૪) તમામ સરકારી, અર્ધસરકારી, ખાનગી ઓફિસ જેમ કે, મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર ઓફિસ, પોલિસતંત્ર તેમજ અન્ય જરૂરિયાત સર્વિસીસ સિવાય તમામ સરકારી કચેરી, અર્ધસરકારી કચેરી, ખાનગી ઓફિસમાં ૫૦ ટકા સુધીના સ્ટાફને હાજરી આપવાની રહેશે તેમજ અલ્ટરનેટ ડે થી કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી.
(૫) રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦ એપ્રિલ સુધી જાહેર જનતા માટે બંધ રહેશે.
(૬) શહેરના ઇસ્ટ ઝોન-બી, કતારગામ ઝોન, સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનની પરિસ્થિતિને ધ્યાને રાખતા આ ચાર ઝોનના નાગરિકોએ કોવિડની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાની બંછાનિધિ પાનીએ અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments