Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ પર હવે લોકોને મોનિંગ વોક માટે મળી છૂટ

Webdunia
મંગળવાર, 6 ઑક્ટોબર 2020 (11:16 IST)
AMC દ્વારા કોરોના રોગચાળાને ધ્યાને રાખીને લોકડાઉન દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરી દેવાયો હતો પછી રાજ્ય સરકારે અનલોકમાં  સાબરમતી રિવરફ્રન્ટનો અપર પ્રોમિનોડ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પણ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને છ મહિનાથી લોઅર પ્રોમિનોડને બંધ રાખવામાં આવ્યો હતો પણ આજે સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિ. દ્વારા લોઅર પ્રોમિનોડને પણ જનતા માટે ખુલ્લો મૂકવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલે આજથી લોઅર પ્રોમિનોડને પ્રજા માટે ખુલ્લો મૂકવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા સહિતના તમામ નિયમોનું પાલન કરવાની તાકીદ પણ કરી છે.
 
છેલ્લા 19 દિવસથી સતત દૈનિક ધોરણે 150થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સોમવારે અમદાવાદ શહેરમાં 165 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોનાની સારવાર દરમિયાન ત્રણ દર્દીનાં મોત નીપજ્યાં હતાં. 
 
અમદાવાદ શહેરમાં કુલ કેસની સંખ્યા 36,087 થઈ ગઈ છે. શહેરમાં કોરોનાની સારવાર બાદ આજે વધુ 248 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને 30,493 દર્દીઓ ઘરે પરત ફર્યાં છે. અમદાવાદ શહેરમાં તા.5મી ઓક્ટોબરને સવારે 11 વાગ્યાની સ્થિતિ કુલ 35,092 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે 3394 એક્ટિવ કેસ નોંધાયા છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments