Dharma Sangrah

અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ પર હવે લોકોને મોનિંગ વોક માટે મળી છૂટ

Webdunia
મંગળવાર, 6 ઑક્ટોબર 2020 (11:16 IST)
AMC દ્વારા કોરોના રોગચાળાને ધ્યાને રાખીને લોકડાઉન દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરી દેવાયો હતો પછી રાજ્ય સરકારે અનલોકમાં  સાબરમતી રિવરફ્રન્ટનો અપર પ્રોમિનોડ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પણ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને છ મહિનાથી લોઅર પ્રોમિનોડને બંધ રાખવામાં આવ્યો હતો પણ આજે સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિ. દ્વારા લોઅર પ્રોમિનોડને પણ જનતા માટે ખુલ્લો મૂકવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલે આજથી લોઅર પ્રોમિનોડને પ્રજા માટે ખુલ્લો મૂકવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા સહિતના તમામ નિયમોનું પાલન કરવાની તાકીદ પણ કરી છે.
 
છેલ્લા 19 દિવસથી સતત દૈનિક ધોરણે 150થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સોમવારે અમદાવાદ શહેરમાં 165 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોનાની સારવાર દરમિયાન ત્રણ દર્દીનાં મોત નીપજ્યાં હતાં. 
 
અમદાવાદ શહેરમાં કુલ કેસની સંખ્યા 36,087 થઈ ગઈ છે. શહેરમાં કોરોનાની સારવાર બાદ આજે વધુ 248 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને 30,493 દર્દીઓ ઘરે પરત ફર્યાં છે. અમદાવાદ શહેરમાં તા.5મી ઓક્ટોબરને સવારે 11 વાગ્યાની સ્થિતિ કુલ 35,092 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે 3394 એક્ટિવ કેસ નોંધાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments