Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રોજના સરેરાશ 25 મોત, મૃત્યુદર 6.71 ટકા : 13 દિવસમાં જ 326 મોત

Webdunia
ગુરુવાર, 14 મે 2020 (15:42 IST)
અમદાવાદમાં 13મીએ કોરોનાથી વધુ 25 મોત નોંધાયા છે અને આ સાથે માત્ર અમદાવાદમાં મૃત્યુનો આંકડો 446 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં રોજના સરેરાશ 25 મોત થઈ રહ્યા છે. શહેરમાં હાલ મૃત્યુદર 6.71 ટકા પર પહોંચ્યો છે. 1લી મેથી લઈને આજ સુધીમાં 13 દિવસમાં જ 326 મોત થઈ ચુક્યા છે. આજે ગુજરાતમાં વધુ 29 મોત થયા છે અને કોરોનાથી મૃત્યુ થવાની શરૂઆત બાદ ગુજરાતમાં ચોથી વાર એક સાથે એક જ દિવસમાં 29 મોત નોંધાયા છે. ગુજરાતમાં મૃત્યુદર વધીને 6.10 ટકા થયો છે. ગુજરાતમાં કોરોનાથી પ્રથમ મોત 22 માર્ચે થયા બાદ 40 દિવસમાં 214 મોત ગુજરાતમાં થયા હતા જ્યારે 1લીમેથી 13 મે સુધીના છેલ્લા 13 દિવસમાં જ રાજ્યમાં 352 મોતા થયા છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ મોત અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં મોતની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. લોકડાઉન છતાં પણ અમદાવાદમાં રોજના 250થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે છે તેમજ મૃત્યુની સંખ્યા પણ ઓછી થતી નથી. અમદાવાદમાં સરેરાશ રોજના 25 મોત થઈ રહ્યા છે. 2જી એપ્રિલથી અમદાવાદમાં રોજના 20 કે તેથી વધુ મોત થઈ રહ્યા છે. જ્યારે છેલ્લા 13 દિવસમાં જ અમદાવાદમાં 326 મોત થયા છે. મહત્વનું છે કે એક બાજુ જ્યાં સમગ્ર રાજ્યમાં 6.10 ટકા મૃત્યુ દર છે ત્યારે અમદાવાદમાં 6.71 ટકા મૃત્યુદર દર છે.  દેશમાં પાંચ હજારથી વધુ કેસ ધરાવતા મુખ્ય મોટા શહેરોમાં અમદાવાદમાં સૌથી વધુ 6.71 ટકા મૃત્યુદર છે.દેશમાં મોટા શહેરોમાં સૌથી વધુ કેસ 14947 કેસ મુંબઈમા છે ત્યારે તેની સામે મોત 556 છે. અમદાવાદમાં 6645 કેસ સામે કુલ મૃત્યુનો આંકડો 446 છે જે ખૂબ જ ગંભીર ગણી શકાય.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments