Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જરૂરિયાતમંદ વકીલોના બેંક ખાતામાં રૂ.5000 જમા કરાવશે

Webdunia
મંગળવાર, 28 એપ્રિલ 2020 (10:04 IST)
કોરોના વાઇરસના કારણે અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ પર અસર પડી છે. જેમાં ગુજરાતના વકીલોની હાલત કફોડી બની છે. જેથી આર્થિક જરૂરિયાતમંદ વકીલોની વહારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આવ્યું છે. જરૂરિયાતમંદ વકીલોને આર્થિક સહાય કરવાનો નિર્ણય કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો છે. 49000 વકીલોના બેન્ક ખાતામાં 5000 રૂપિયા જમા કરાવવામાં આવશે. આર્થિક પરિસ્થતિ ખરાબ હોવાની વકીલો દ્વારા બાર કાઉન્સિલમાં અરજી કરવામાં આવી હતી. સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં એમ.ડી ફિઝિશિયન, એમ.ડી પ્રિડ્રિયાટ્રિશિયન, ડર્મેટોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સવારે 10 થી સાંજના 5 સુધી માર્ગદર્શન આપવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ છે. આરોગ્ય કમિશનરની કચેરીએથી તેનું સંકલન કરાઈ રહ્યું છે. 31 જિલ્લાના નાગરિકો ટેલિ મેડીસીનનો લાભ લઈ રહ્યા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. ઉપરાંત રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબધ્ધ છે. રાજ્યમાં જે પોઝીટીવ કેસો નોંધાયા છે તે પૈકી 89 ટકા કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના છે. જ્યારે 27 જિલ્લામાં 11 ટકા પોઝીટીવ કેસો હોવાનું તેમણે ઉમેર્યું

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments