Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના કેસ વધતા સરકારે માસ્કને લઈને લીધો મહત્વનો નિર્ણય

માસ્કને લઈને લીધો મહત્વનો નિર્ણય
Webdunia
શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (18:10 IST)
કોરોનાના કેસો વધતાં સરકારે રાજ્યનાં 8 મહાનગરમાં 7 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ 11થી સવારના 5 સુધી યથાવત્ રાખ્યો છે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 2 દિવસમાં જ દૈનિક નવા કેસો 500થી વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે સરકારે કોરોના સંબંધિત નિયમોનું ચુસ્ત પાલન કરાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર સ્થળોએ માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. ઉપરાંત જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારી કડક કાર્યવાહી કરાશે. આ મામલે સંબંધિત જિલ્લા પોલીસ કમિશનર તથા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવાનું રહેશે.
 
 
વેક્સિનના બે ડોઝ ફરજિયાત
 
ગઈકાલે આરોગ્યમંત્રીએ રાજ્યનાં 8 શહેરમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી તેમજ જાન્યુઆરી 2022થી રાજ્યની તમામ કચેરીઓમાં મુલાકાતીઓને તેમને ડબલ ડોઝ વેક્સિનેશન કરાવ્યું છે તેની ખાતરી અને પ્રમાણપત્રના આધારે જ પ્રવેશ આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments