Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહના ફોનથી રૂપાણી માની ગયા પણ કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું

અમિત શાહના ફોન
Webdunia
સોમવાર, 1 જાન્યુઆરી 2018 (12:33 IST)
ગુજરાતમાં નવનિયુક્ત રૂપાણી સરકારમાં ખાતાઓની વહેચણીને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વચ્ચેના પરસ્પરના મતભેદો દૂર થઈ ગયા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું  કે, રવિવારે સવારે અમિત શાહે નીતિન પટેલને ફોન કરી કહ્યું કે, તેમની માગો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અમિત શાહે તેમને પોતાનો પદભાર સંભાળી લેવા પણ અનુરોધ કર્યો. તે પછી નીતિન પટેલે ગાંધીનગર જઈ પોતાની ઓફિસમાં ચાર્જ સંભાળી લીધો. નીતિન પટેલને નાણાં મંત્રલાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, ભાજપમાં છેલ્લા 48 કલાકથી ચાલતો વિવાદ ઉકેલાઈ ગયો. આમ, અમિત શાહના એક ફોને કેટલાય વિરોધીઓની ગણતરીઓ ઊંધી પાડી દીધી.

ભાજપમાં ખાતા ફાળવણીને લઈને ઊભા થયેલા ગજગ્રાહને જોતાં કોંગ્રેસમાં એક આશા ઊભી થઈ હતી. કોંગ્રેસ તરફથી તો નીતિન પટેલને ઓફર પણ કરી દીધી હતી. પણ, અમિત શાહનો ફોન આવ્યા બાદ નીતિન પટેલ માની ગયા હતા અને કોંગ્રેસની ઈચ્છા મનની મનમાં જ રહી ગઈ હતી.  પોતાનો પદભાર સંભાળ્યા બાદ નીતિન પટેલે સ્પષ્ટ કહ્યું કે, ‘હું કોઈ મહત્વપૂર્ણ મંત્રાલય નથી ઈચ્છતો. મારી બસ એ જ ઈચ્છા હતી કે, હું જે મંત્રાલયો પહેલા જોતો હતો, તે મને ફરીથી આપી દેવામાં આવે. મેં 40 વર્ષ ભાજપના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. મારા યોગદાનને જોતાં જ પાર્ટીએ મને ડેપ્યુટી સીએમ બનાવ્યો છે. હું પાર્ટી છોડવા વિશે વિચારી પણ ન શકું. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ સમગ્ર ડ્રામા અંગે કહ્યું કે, ભાજપ અને નીતિન પટેલે જનતાને જણાવવું જોઈએ કે તેમની વચ્ચે શું ડીલ થઈ કે તેઓ માની ગયા.વિજય રૂપાણી અને નીતિન પટેલ બંને જ ગૃહ ખાતું પોતાની પાસે રાખવા ઈચ્છતા હતા. પરંતુ, ખાતાઓની વહેંચણીમાં નીતિન પટેલ પાસેથી શહેરી વિકાસ, નાણાં. પેટ્રોકેમિકલ્સ, ટાઉન પ્લાનિંગ જેવા ખાતા લઈ લીધા, જે પાછલી સરકારમાં તેમની પાસે હતા. તેમને આ વખતે માત્ર માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજનાની જવાબદારી સોંપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments