Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારવા કોંગ્રેસનો ઈન્કાર

Webdunia
મંગળવાર, 28 મે 2019 (18:00 IST)
લોકસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામુ આપવાની કોંગ્રેસને ઓફર કરી હતી. પરંતુ કોંગ્રેસે આ ઓફર નકારી કાઢી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, હારની નૈતિક જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની ઓફર કરી હતી. પરંતુ પક્ષે તેને સ્વીકારી નથી.  લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પરાજય થયો છે. માત્ર એટલું જ નહીં, અમરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડેલા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ પોતાની સીટ બચાવી શક્યા નથી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરેશ ધાનાણીએ રાજીનામાનો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને મોકલી આપ્યો છે.

ધાનાણી અમરેલી પર લોકસભાની બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે, તેમની સાથે ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ 2,01,431 મતથી જીત મેળવી છે. પરેશ ધાનાણી લેઉઆ પટેલ સમાજમાંથી આવે છે. આથી સૌરાષ્ટ્રમાં તેઓનું સ્થાન આગવું હતું. વિધાનસભામાં અમરેલી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, જો કે લોકસભામાં કોંગ્રેસને અહીં પણ હારનો સામનો કરવો પડ્યો છે. તો પરેશ ધાનાણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના લોકોમાંથી એક માનવામાં આવે છે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments